બનાસકાંઠા થરાદની મુખ્ય નર્મદા નહેરમાં પાણી છોડવામાં આવ્યુ હતું. સપાટીમાં પાણીની આવક થતાં લોકોએ રાહત અનુભવી હતી. પાંચ દિવસથી પાણી બંધ કરવામાં આવતાં લોકોને મુશ્કેલી થઇ હતી. પાણી આવવાથી લોકોમાં ખુશી જોવા મળી હતી.
થરાદમાં પાણી ન આવતા સ્થાનિકો પરેશાન થયા હતા. થરાદમાં નર્મદા નહેરમાંથી પાણી બંધ થતા સ્થાનિકોને પીવાના પાણી માટે મુશ્કેલી પડી રહી હતી. પીવાનુ પાણી ન મળતા સ્થાનિકોએ ટેન્કર દ્વારા પાણી મંગાવવુ પડી રહ્યુ હતુ. થરાદમાં પીવાના પાણી માટે લોકોની સ્થીતી કફોળી બની હતી. પણ હવે મુખ્ય નર્મદા નહેરમાં પાણી છોડવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
એક તરફ દક્ષીણ ગુજરાતમાં વરસાદે જળબંબાકાર કર્યુ છે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે બનાસકાંઠાના થરાદમાં પાણી ન આવતા સ્થાનિકોની સ્થીતી કફોળી બની હતી. ત્યારે હવે થરાદની મુખ્ય નર્મદા નહેરમાં પાણી છોડાતા લોકોએ રાહત અનુભવી છે.