એશિયાની નંબર વન ગણાતી બનાસડેરીના 16 ડિરેક્ટરો માટેની ચૂંટણી માટે હાલ ઉમદેવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને આગામી 30મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર નોંધાવવાનો સમય છે. ત્યારે હાલ બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી સામે વાઇસ ચેરમેન માવજી દેસાઈ સાહિત ભાજપના આગેવાનો આવતા રાજકીય દાવપેચ શરૂ થઇ ગયા છે
બનાસડેરી 16 ડિરેક્ટરો માટેની ચૂંટણી
30મી સપ્ટે. સુધી ઉમેદવારી પત્રનો સમય
રાજકીય દાવપેચ શરૂ
એશિયાની નમ્બર વન ગણાતી બનાસડેરી ના 16 ડિરેક્ટરો માટેની ચૂંટણી માટે હાલ ઉમદેવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.અને આગામી 30મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર નોંધાવવાનો સમય છે ત્યારે હાલ બનાસડેરી ના ચેરમેન શંકર ચૌધરી સામે વાઇસ ચેરમેન માવજી દેસાઈ સાહિત ભાજપના આગેવાનો આવતાજ શંકર ચૌધરી પોતાની ગેમ શરૂ કરી દીધી છે. જેમાં રાધનપુર, સુઇગામ,વાવ , સાતલપુર અને દાંતીવાડા બેઠક બિન હરીફ કરવા ત્યારથીજ મતદારો ને પોતાના સમર્થન માં સાહેલગાહે રવાના કરી દીધા છે
સમગ્ર જિલ્લાના રાજકીય સમીકરણો બદલાઈ ગયા
ડીસામાં વાઇસ ચેરમેન માવજી દેસાઈ પોતાનું ઉમેદવારી પત્ર ભરે તે પહેલાં 130 મતદારોમાંથી 55 મતદારોને સાહેલગાહે રવાના કરી દઈ માવજી દેસાઈ ને મુશ્કેલીમાં મૂકી દીધા છે જોકે ચૂંટણીમાં જ્યારે વાઇસ ચેરમેન માવજી દેસાઈ સહિત ભાજપના કેટલાક આગેવાનો ચેરમેન શંકર ચૌધરી સામે પડતા જ શંકર ચૌધરી પોતાનો દાવ અજમાવી પોતાના સમર્થક ડિરેકટર ચૂંટાઈ આવે તે માટે અત્યારથી જ એડીચોટીનો જોર લગાવી દીધેલ અને મતદારો માંથી કોઈ ઉમેદવારીપત્ર ન ભરે તે માટે મતદારો ને જ સાહેલગાહે મોકલી દેતા સમગ્ર જિલ્લાના રાજકીય સમીકરણો બદલાઈ જવા પામ્યા છે.
ઉમેદવાર પોતાના ઉમેદવારીપત્ર રજૂ કર્યા નથી
જોકે આજદિન સુધી હજુ એકપણ ઉમેદવાર પોતાના ઉમેદવારીપત્ર રજૂ કર્યા નથી અને આવનાર 29 અને 30 મી આમ બે દિવસમાં ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે. જોકે ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.