ઘરમાં પૈસા હોવા છતાંય જો તમારા ઘરમાં પૈસાની તંગી રહેતી હોય તો તુલસીના છોડ સાથે આ છોડ પણ ચોક્કસથી વાવો. આમ કરવાથી માત્ર તમારી પરેશાનીઓ જ દૂર નહીં થાય પરંતુ માતા લક્ષ્મીની કૃપા પણ તમારા પર હંમેશા બની રહેશે. આવો જાણીએ આખરે કયો છોડ તુલસીની બાજુમાં વાવવાથી થશે લક્ષ્મીજી પ્રસન્ન...
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વૃક્ષ-છોડ વાવતા સમયે જો ધ્યાનમાં રાખવામાં ના આવે તો ઘરના બગીચામાં વાસ્તુદોષ લાગી શકે છે. જેનું પરિણામ લાંબા સમય સુધી ભોગવવું પડી શકે છે તો અમે તમને જણાવવી કે કયો છોડ કે વૃક્ષ વાવવાથી શુભ ફળ મળે છે અને શું વાવવાથી નુકસાન થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી કેળા ચંપા કેતકી વગેરે વૃક્ષ-છોડ ઘરના બગીચામાં વાવવા શુભ મનાય છે. તેને વાવવાથી ક્યારેય ધનની અછત સર્જાતી નથી. તુલસીનો છોડ પાસે કેળનું વૃક્ષ વાવવું જોઇએ. વૃક્ષ વાવવું જોઇએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથો સાથ માતા લક્ષ્મનીની કૃપા બની રહે છે. જોકે કેળનું વૃક્ષ ઇશાન ખૂણામાં લગાવવાથી ધન ધાન્યમાં વૃદ્ઘિ થાય છે.
ધ્યાનમાં રાખો કે છોડ કે વૃક્ષના પાનને તોડવા પર તેમાંથી દૂધ નીકળે તો એવા વૃક્ષોને ઘરની આસપાસ વાવવા જોઇએ નહીં. આવા વૃક્ષ વાવવાથી ધનની હાનિ પહોંચે છે. તેના લીધે હંમેશા પૈસાની તંગી સર્જાય છે.