કેળાની ચા માં મેગ્નેશિયમ અને કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે તમને અનિદ્રાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.
કેળાની ચા અનિદ્રાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે
કેળાની ચા બનાવતી વખતે ઓર્ગેનિક કેળાનો ઉપયોગ કરો
ઊંઘ સંબંધિત બિમારી અનિદ્રા માટે તમે ઘણી વખત સાંભળ્યું હશે. બની શકે છે કદાચ તમે પણ એના શિકાર હોવ. આ એક સામાન્ય સમસ્યા છે જેનાથી દરેક લોકોને લાઇફમાં એક દિવસ પસાર થવું પડે છે. ઊંઘ ના આવવાના કારણે તમારી આખી રાત એમ જ પસાર થઇ જાય છે. જો કે સવારે તમને પછી મજા આવતી નથી.
અનિયમિત ઊંઘના કારણે તમને અનિદ્રા ઉપરાંત ડિપ્રેશન, તણાવ વગેરેની પણ સમસ્યા થઇ શકે છે. એવામાં તમે વિચારતા હશો કે શું કરવું જોઇએ જેનાથી ઊંઘ સરળતાથી આવી જાય. તો એવામાં તમારી મદદ કેળાની ચા કરી શકે છે.
કેળાની ચા નું નામ સાંભળીને તમને થોડું અજીબ જરૂર લાગ્યું હશે. અમે તમને જણાવી દઇએ કે એમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે તમને અનિદ્રાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.
કેળાની ચા બનાવવાની સામગ્રી
એક ઓર્ગેનિક કેળું(છોલીને 3 4 ટુકડા કરી લો)
2 કપ પાણી
ચપટી તજનો પાઉડર
આવી રીતે બનાવો કેળાની ચા
સૌથી પહેલા એક વાસણમાં 2 કપ પાણી નાંખો અને એને ઉકાળો. જ્યારે ઊભરો આવવા લાગે તો એમા કેળા નાંખો.
ઓછામાં ઓછા 5 6 મીનિટ ઉકાળ્યા બાદ એમાં તજ પાઉડર નાંખો અને પછી ગેસ બંધ કરી દો. હવે ગળણીની મદદથી ગાળી લો.
સૂવાના એક કલાક પહેલા એનું સેવન કરો, પછી જુઓ કેવી સરળતાથી તમને ઊંઘ આવે છે.