વર્ષ 2018 માં જ્યારે આઇપીએલ રમવામાં આવશે ત્યારે 2 વર્ષનું સસ્પેન્શનિંગ હાંસલ કરેલી ટીમ ચેન્નઈ સુપર કિંગ્ઝ અને રાજસ્થાન રોયલ્સ ટૂર્નામેંટમાં પરત ફરશે. ચેન્નઈ સુપરકિંગ્સે અત્યાર સુધીમાં તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ચેન્નઈ સુપર કિંગ્ઝે દાવો કર્યો છે કે હજુ પણ તેમની માટે મહેન્દ્ર સિંહ ધોની સૌથી મોટા લક્ષ્ય છે અને તે જ ટીમની સૌથી મહત્વની કડી રહેશે.
પરત આવ્યા બાદ ધોનીને કરશે રીટેન CSK
ચેન્નાઇ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડના ડિરેક્ટર જ્યોર્જ જૉને કહ્યું હતું કે "જો બીસીસીઆઈ ખેલાડીઓને રિટેન કરવા માટે પરવાનગી આપશે તો અમે ધોનીને કોઈપણ રીતે રીટેન કરવા માંગીશું." જ્યોર્જ એ પણ જણાવ્યું હતું કે "જો કે છેલ્લા વર્ષે રાઇઝીંગ પૂણે સુપરજેઈંટ સાથે કરાર કર્યા પછી અમે અત્યાર સુધી ધોની સાથે કોઈ વાતચીત કરી નથી પરંતુ અમે ભવિષ્યમાં તેમનો ટૂંક સમયમાં સંપર્ક કરીશું. અમે તે જ સપોર્ટ સ્ટાફને પણ ટીમમાં લાવવાનું વિચારી રહ્યાં છીએ. "
ચેન્નઇ શુક્રવારથી સોશ્યલ મીડિયામાં પ્રચાર શરૂ કરશે
ચેન્નઈ ટીમ શુક્રવારથી તેની ટીમનું પ્રચાર-પ્રસાર શરૂ કરશે. પ્રચારમાં ટીમના ઉતાર-ચઢાવ વિશે દર્શાવવામાં આવશે. જ્યોર્જે આગળ જણાવ્યું હતું કે "આ અમારા માટે એક નવી શરૂઆત છે. અમે પાછળ ફરીને જોવા માંગતા નથી. ક્રિકેટ અમારી દિવાનગી છે.શુક્રવારથી અમે સોશ્યલ મીડિયામાં પ્રચાર શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમે ટીમના સોનેરી પલોને ફરીથી દેખાડી અને ત્યારબાદથી પ્રશંસકોથી અમારા ટીમના ખેલાડીઓ સાથે સેલ્ફી મોકલવા માટે કહીશું. "
2 વર્ષની પ્રતિબંધ પછી કરશે વાપસી
તમને જણાવવી દઈએ કે ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવી હતી. જે પછી આ બે ટીમોએ આઈપીએલ 9 અને આઈપીએલ 10માં ભાગ નથી બની શકી હતી. જો કે આ સમયે બંન્ને ટીમો વાપસી કરે તેવી અપેક્ષા છે. પરંતુ બીસીસીઆઇને હજુ તય કરવાનું છે કે આ વખત 8 ટીમો રમશે કે પછી 10 ટીમો રમશે. જોકે આ વાતની સંભાવના બહું જ ઓછી છે કે બીસીસીઆઈ 10 ટીમોને આઇપીએલમાં રમાડે કારણ કે તે સંભવિત મેચોની સંખ્યામાં વધારો કરશે.