દુનિયામાં ઘણી અજીબોગરીબ જગ્યાઓ છે જેના વિશે લોકોને વિશ્વાસ નથી થતો. એવી જ એક અનોખી જગ્યા છે જ્યાં મરવા પર બૅન છે.
આ શહેરમાં લોકોના મરવા પર બૅન છે
કારણ જાણીને આભા જ બની જશો
1970 બાદ કોઇ શખ્સની મૃત્યુ નથી થઇ
સાંભળવામાં અજીબ લાગતી આ વાત ખરેખર સાચી છે. છેલ્લા 70 વર્ષોમાં કોઇ પણ વ્યક્તિની મોત નથી થઇ. ક્યાં છે આ જગ્યા અને કેમ લગાવવામાં આવ્યો છે આ બૅન?
પ્રશાસને લગાવી દીધો પ્રતિબંધ
આ જગ્યા નોર્વેના એક નાના શહેર લોગ્નઇટરબેનમાં છે. આ શહેરે જાણે મોત પર વિજય મેળવી લીધો હોય તેવું લાગે છે. આ શહેર સ્પિટ્સબર્ગન આઇલેન્ડમાં આવેલું છે. અહીંના પ્રશાસને માત્ર લોકોના મોત પર પ્રતિબંધ લગાવી દીધો છે. કહેવાય છે કે દુનિયાના આ અનોખા શહેરમાં છેલ્લા 70 વર્ષથી કોઈ માણસનું મૃત્યુ થયું નથી. પરંતુ તેની પાછળનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે.
આખું વર્ષ ઠંડી રહે છે
નોર્વેના લોંગયરબાયન શહેરમાં આખું વર્ષ હવામાન ખૂબ ઠંડુ રહે છે. ઠંડીની સિઝનમાં તાપમાન એટલું નીચું થઈ જાય છે કે વ્યક્તિનું જીવવું મુશ્કેલ બની જાય છે. જો કોઈનું મૃત્યુ થાય તો પણ ઠંડીના કારણે લાશ વર્ષો સુધી આમ જ પડી રહે છે. લાશ સડતી નથી કે નષ્ટ પણ નથી થતી. માટે લાશને ક્લિયર કરવામાં જ વર્ષો લાગી જાય છે. જેના કારણે પ્રશાસને મરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
બીમાર માણસને શહેરથી દૂર જવું પડે છે
લાશ આ રીતે વર્ષો સુધી પડી રહે તો કોઇ બીમારી ફેલાવાનો ડર રહે છે. માટે જો કોઇ વ્યક્તિ ગંભીર રીતે બીમાર પડે છે તો તેણે બીજા શહેરમાં શિફ્ટ થઇ જવું પડે છે. મોત થાય તો તે સ્થાન પર જ તેનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે.
2000 લોકોનું છે શહેર
વર્ષ 1917માં અહીં એક શખ્સની મોત થઇ હતી જે ઇન્ફ્લુએન્ઝાથી પીડિત હતો. તે ગામના લોકોએ તેને દફનાવ્યો હતો પરંતુ તેના શરીરમાં હજુ પણ તે વાયરલ છે. જેના કારણે પ્રશાસને મરવા પર જ બેન લગાવી દીધો હતો. આ શહેરમાં 2000 લોકોની વસ્તી છે અને ઇસાઇ ધર્મના લોકો વધારે છે.