ઇસ્લામાબાદઃ પુલવામા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી છે. જેને લઇને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક કરી. આ બેઠકમાં જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન પર પૂર્ણ પ્રતિબંધન લગાવવાનો આદેશ આપ્યો છે. હજુ થોડા દિવસ પહેલા જ મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના આ બન્ને સંગઠનો પરથી બેન હટાવ્યો હતો. સઇદ આ બન્ને સંગઠનો દ્વારા અંદાજિત 300 ધાર્મિક શિક્ષણ સંસ્થાન અને સ્કૂલ હોસ્પિટલ પલ્બિશિંગ હાઉસ અને એમ્બ્યુલન્સ સર્વિસ ચલાવે છે. તેમના અંદાજિત 50 હજાર સ્વયંસેવકો અને હજારો કર્મચારી છે.
પાકિસ્તાનની સરકરા આ કાર્યવાહીની જમાત ઉદ દાવાએ ટીકા કરી. જમાત ઉદ દાવાના પ્રવક્તાએ કહ્યું કે સંગઠનોના પ્રતિબંધથી કાશ્મીરની આઝાદી માટે ચલી રહેલ આંદોલનને નુકશાન પહોંચશે. પ્રતિબંધ ભારતીયોના દબાણ પર લગાવાયો છે. આ પહેલા પણ કેટલીક સરકારોએ અમાર સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો હતો પરંતુ અમે કોર્ટ દ્વારા બહાર આવતા હતા. આ વખતે પણ અમે કોર્ટનો રસ્તો અપનાવીશું. જમાત ઉદ દાવા અને એફઆઇએફ શાંતિપૂર્ણ સંગઠન છે અને દાન આધારિત કાર્યોમાં સામેલ છે.