વાસ્તુમાં વાંસળીને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાંસથી બનેલી વાંસળીના સિવાય અન્ય વસ્તુઓથી બનેલી વાંસળીઓ પણ મહત્વપૂર્ણ છે. ઘરમાં જુદી-જુદી સમસ્યાઓ માટે જુદા-જુદા પ્રકારની વાંસળીઓ રાખવાની સલાહ આપવામાં આવે છે.
વાંસળી ભગવાન કૃષ્ણને પ્રિય હોવાના કારણે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પવિત્ર હોવાની સાથે-સાથે વાસ્તુમાં પણ વાંસળીનો ખાસ સ્થાન માનવામાં આવે છે. જુદા-જુદા રંગ અને પ્રકારની વાંસળી જુદા-જુદા ફળ આપવનારી માનવામાં આવે છે. પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દરેક વ્યક્તિએ પોતાની ઈચ્છા મુજબ વાંસળી રાખવી જોઈએ.
જાણો કઈ ઈચ્છા પૂરી કરવા માટે ક્યા રંગની અથવા પ્રકારની વાંસળી રાખવી જોઈએ-
- જે લોકોને મનગમતી નોકરી મેળવવાની ઈચ્છા છે તેમણે પોતાના રૂમના મેન ગેટ પાસે પીળી વાંસળી રાખવી જોઈએ.
- વેપારમાં વૃદ્ધિ અને ધન લાભ મેળવવા માટે દુકાનના ગલ્લા અથવા ઘરની તિજોરીમાં ચાંદીની વાંસળી રાખવી શુભ માનવામાં આવે છે.
- પોતાની પથારી પાસે અથવા ઓશીકા નીચે લાલ વાંસળી રાખવાથી મનગમતા સાથી સાથે લગ્ન થવાના યોગ બની શકે છે.
- ઘરના મંદિરમાં મોરપંખ લાગેલી વાંસળી રાખવાથી ઘર-પરિવારના અટકાયેલા અગત્યના કામ પૂરા થવાની શક્યતાઓ બનવા લાગે છે.
- કઠિન અને મહત્વપૂર્ણ પરીક્ષામાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓના રૂમમાં સફેદ વાંસળી રાખવી સૌથી સારી માનવામાં આવે છે.
- નવો વેપાર શરૂ કરવા માટે ઈચ્છતા લોકોએ પોતાના કપડાંની તિજોરીમાં લાકડાની વાંસળી રાખવી જોઈએ.
- સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા કપલ્સે પોતાના બેડરૂમમાં ગ્રીન વાંસળી રાખવી જોઈએ. વાંસળીને એવી રીતે રાખો કે તે કોઈને દેખાઇ નહીં.
- લાંબા સમયથી ચાલી રહેલી બીમારીને ખતમ કરવા અથવા બીમારીઓથી બચવા માટે કિચનમાં ગોલ્ડન વાસંળી રાખવી જોઈએ.
- ઘર-પરિવારમાં થતા કંકાસ અથવા સભ્યો વચ્ચે મતભેદ ખતમ કરવા માટે એક જ રંગની બે વાંસળી ઘરના હોલમાં રાખવી શુભ માનવામાં આવે છે.
- પરિવાર અથવા વેપારને નેગેટિવિટીથી બચાવી રાખવા માટે કાળા રંગની વાંસળી ઘર અથવા દુકાનની છત પર લટકાવવી જોઈએ.