ભારતમાં વાંસની માગ સતત વધી રહી છે. આ જ કારણ છે કે, સરકાર પણ હવે દેશમાં વાંસના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને સહાય કરી રહી છે.
ભારતમાં વાંસની ખૂબ માગ વધી
વાંસની ખેતી કરી રહ્યા છે લોકો
સરકાર પણ આપે છે મદદ
ભારતમાં વાંસની માગ સતત વધી રહી છે. આ જ કારણ છે કે, સરકાર પણ હવે દેશમાં વાંસના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને સહાય કરી રહી છે. કેટલાય રાજ્યોમાં ખેડૂતો વાંસની ખેતી કરીને સબ્સિડીનો લાભ લઈ રહ્યા છે. એટલા માટે આપ પણ તેની ખેતીનો પોતાનો વ્યવસાય બનાવી શકો છો.
વાંસની ખેતીમાં સૌથી સારી બાબત એ છે કે, તેને બિનફળદ્રુપ જમીન પર પણ ઉગાડી શકાય છે. સાથે જ પાણીની ખૂબ ઓછી જરૂર પડે છે. એક વાર લગાવ્યા બાદ વાંસના છોડને 50 વર્ષ સુધધી ઉત્પાદન લઈ શકાય છે. વાંસની ખેતીમાં મહેનત ખૂબ ઓછી લાગે છે. આ તમામ કારણોથી લોકોને તેની ખેતી ખૂબ પસંદ આવી રહી છે.
આવી રીતે કરો વાંસની ખેતી
કશ્મીરી ઘાટીઓ ઉપરાંત ક્યાંય પણ વાંસની ખેતી કરી શકાય છે. ભારતના પૂર્વી ભાગમાં આજે વાંસનું સૌથી મોટુ ઉત્પાદન થાય છે. એક હેક્ટર જમીન પર વાંસના 1500 છોડ લગાવી શકાય છે. બે છોડ વચ્ચે અઢી મીટરનું અંતર અને એક લાઈનથી બીજી લાઈન 3 મીટર દૂર રાખવી જોઈએ. વાંસની ખેતીમાં ઉત્તમ કક્ષાના છોડની પસંદગી કરવી જોઈએ.
ભારતમાં વાંસની કુલ 136 પ્રજાતિ છે. તેમાંથી સૌથી વધારે લોકપ્રિય પ્રજાતિઓ બાંમ્બૂ ઓરનદિનેસી, બામ્બૂ પોલીમોરફા, કિમોનોબેમ્બૂસા ફલકેટા, ડેંડ્રોકૈલેમસ સ્ટ્રીક્સ, ડેંડ્રોકેલેમસ હેમિલટન અને મેલોકાના બેક્ફિફેરા છે. વાંસના છોડની વાવણી જૂલાઈ મહિનામાં સૌથી વધારે કારગર નિવડે છે. વાંસના છોડ 3થી 4 વર્ષમાં કાપવા લાયક થઈ જાય છે.
સરકાર આપે છે સહાય
રાષ્ટ્રીય વાંસ મિશન અંતર્ગત વાંસની ખેતીમાં વધારે ખર્ચ થઈ રહ્યો છે, તો કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરી રહી છે. વાંસની ખેતી માટે સરકાર દ્વારા અપાતી સહાયની રકમની વાત કરીએ તો, ખેડૂતોના ખર્ચમાં 50 ટકા ખેડૂતો અને 50 ટકા ખર્ચ સરકાર ઉપાડે છે.