શ્રીનગરમાં ભૂસ્ખલનમાં બાલટાલ માર્ગ પર બે પુલ તણાઈ જતાં અમરનાથ યાત્રા ફરી પાટા પર આવે તેના માટે ભારતીય સેનાએ ગુરૂવાર અને શુક્રવારની મધ્યરાત્રિમાં તેને રેકોર્ડ સમયમાં રાતોરાત ફરીથી તેને બનાવી દીધો હતો.
સેનાના જવાનોનું અદમ્ય સાહસ
અમરનાથ યાત્રા પર આવતા વચ્ચેના બે પુલ તણાઈ ગયા હતા
રેકોર્ડ સમયમાં રાતોરાત નવા પુલ બનાવી દીધા
શ્રીનગરમાં ભૂસ્ખલનમાં બાલટાલ માર્ગ પર બે પુલ તણાઈ જતાં અમરનાથ યાત્રા ફરી પાટા પર આવે તેના માટે ભારતીય સેનાએ ગુરૂવાર અને શુક્રવારની મધ્યરાત્રિમાં તેને રેકોર્ડ સમયમાં રાતોરાત ફરીથી તેને બનાવી દીધો હતો. 30 જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રાની સુરક્ષાના વ્યવસ્થિત સંચાલન માટે નાગરિક પ્રશાસન તરફથી મદદ કરી રહેલી ભારતીય સેનાની ચિનાર કોરે આ પુલને રેકોર્ડ સમયમાં ફરીથી બનાવી દીધો હતો. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, અચાનક પુરના કારણે બાલટાલ માર્ગ પર કાલીમાતા પાસે આવેલા નાળામાં પુર આવ્યું હતું. જેના કારણે થયેલા ભૂસ્ખલનમાં પુલ તણાઈ ગયો હતો. નાગરિક પ્રશાસને તણાઈ ગયેલા પુલને રિપેર કરવા માટે ચિનાર કોરની મદદ લીધી હતી.
#WATCH J&K | Two bridges near Brarimarg on Baltal Axis damaged by landslides were restored by Chinar Corps which reconstructed the bridges overnight for the resumption of route for Amarnath Yatra pilgrims (02.07)
ત્યાર બાદ ચિનાર કોરે તાત્કાલિક આ પુલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના માટે હેલીકોપ્ટર, ખચ્ચર સાથે સૈનિકોએ ખુદ સામાન ઉપર લઈ ખેંચી લાવ્યા હતા. એન્જીનિયર રેજીમેંટે મેન્યુઅલ રીતે પુલ માટે સંસાધનો એકઠા કર્યા હતા. ત્યાર બાદ રેકોર્ડ સમયમાં ચિનાર કોરની 13 એન્જીનિયર રેજીમેંટે હવામાન અને અંધારાવાલા વાતાવરણમાં રાત આખી કામ કરીને આ નવો પુલ બનાવી દીધો હતો. તેના પરિણામે સવારે અમરનાથ યાત્રા ફરીથી ચાલુ થઈ ગઈ હતી.