બાલાશિનોરમાં દુનિયાનો ત્રીજો સૌથી મોટો અને દેશનો પહેલો ડાયનાસોર અને ફોસિલ પાર્ક ખૂબ જ જલદી સામાન્ય લોકો માટે ખોલી દેવાશે. રાજ્યના પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ તાજેતરમાં પાર્કની મુલાકાત લીધી હતી.
ગુજરાતના પર્યટન વિભાગે ૧ર૮ એકરમાં આ પાર્ક બનાવ્યો છે. ૩૬ વર્ષ પહેલાં અહીં ડાયનાસોરના અવશેષો મળી આવ્યા હતા. ડાયનાસોરના ૬.પ કરોડ વર્ષના ઇતિહાસને બતાવવા માટે આ દેશનું પહેલું આધુનિક મ્યુઝિયમ હશે. અહીં ડાયનાસોરની રહેણીકરણી, ખાણી પીણી અને તેના જીવન સાથે જોડાયેલી તમામ જાણકારીઓ અપાશે.
બાલાશિનોરથી ૧૧ કિ.મી. દૂર રૈયોલી ગામમાં પેલિયોન્ટોલોજિસ્ટ (ડાયનાસોર નિષ્ણાત) વર્ષોથી રિસર્ચ કરે છે. પેલિયોન્ટોલોજિસ્ટનું માનવું છે કે ડાયનાસોરની લગભગ સાત પ્રજાતિઅો અહીં રહે છે. અહીં ડાયનાસોરના ૧૦,૦૦૦ ઇંડાંના અવશેષ મળી આવ્યા છે. આ દુનિયાનું સૌથી સુરિક્ષત સ્થાન છે. અહીં આટલી મોટી માત્રામાં ઇંડાંના અવશેષ મળ્યા હતા. તેને દુનિયામાં ડાયનાસોરનું સૌથી મોટું જીવાસ્મિ સ્થળ માનવામાં આવે છે. વર્ષ ર૦૦૩માં ખોદકામ દરમિયાન કેટલીક નવી પ્રજાતિઓ પણ મળી આવી હતી.
અહીં તેમનાં હાડકાં પણ નર્મદા નદીના કિનારે મળ્યાં. ર૦૦૩માં અહીં જે હાડપિંજર મળી આવ્યાં તેમાં મગજ, મેરુદંડ, કમર, પગ અને પૂંછડીના હાડકાં મુખ્ય હતાં. મ્યુઝિયમના ટાઇમ મશીનમાં વિશ્વ અને ગુજરાતના અલગ અલગ ડાયનાસોરના અવશેષો બતાવાશે. આ ઉપરાંત પ-ડી થિયેટર અને થ્રી-ડી ફિલ્મ હશે.