મહારાષ્ટ્રનાં તત્કાલીન કાયદા મંત્રી દારુનાં નાશમાં એવા ડૂબ્યા કે તેમને કંઈ ભાન ન રહ્યું જેથી બાલ ઠાકરેએ તેમને ઘરે મૂકી જવા પોતાની કારમાં બેસાડ્યા પરંતુ મંત્રીજી પોતાના પર કાબુ ન રાખી શકયાં અને કારમાં જ પેશાબ કરી નાખ્યું. આવો જ રસપ્રદ કિસ્સો 1995માં રીલીઝ થયેલી ફિલ્મ બોમ્બેનો પણ છે.
પોતાનાં જીવનમાં ઘણી વખત રમૂજી કિસ્સાઓ યાદ કરી બધાને હસાવતાં
અમિતાભ બચ્ચનને આપેલાં એક જવાબથી બાલાસાહેબ ઠાકરેએ સૌને ચોંકાવી
મંત્રીએ ગુમાવ્યો કાબુ, કારમાં જ કર્યું પેશાબ
આજે શિવસેનાનાં સંસ્થાપક અને કટ્ટર હિન્દુવાદી નેતા બાલાસાહેબ ઠાકરેની પુણ્યતિથી છે ત્યારે બાલ ઠાકરે હંમેશા તેમના અંદાજ અને હ્યુમર માટે પ્રખ્યાત હતા. કહેવામાં આવે છે કે બાલાસાહેબનાં નામથી મુંબઈ ધ્રુજવાં લાગતી. બાલાસાહેબ હયાત હતા ત્યાં સુધી તેમના નિવાસ-સ્થાન માતોશ્રીમાં મોટા બોલીવૂડ એક્ટર્સથી લઇ નેતાઓ મળવા પહોંચતાં. ઘણી વખત તેઓ પોતાનાં સ્વભાવથી લોકોને આશ્ચર્યમાં મૂકી દેતાં. ખુબ જ ગંભીર દેખાતાં બાલ ઠાકરે માટે તેમના નજીકનાં લોકોનું માનવું છે કે બાલ ઠાકરે ખુબ જ રમૂજી હતા.બાલ ઠાકરેએ ઘણી વખત એક મંત્રીનો ઉલ્લેખ કરતા જેમણે તેમની કારમાં પેશાબ કરી નાખ્યું હતું.
બીજી વાર એ જ મંત્રી નશામાં મળ્યા, ઠાકરેએ કારમાં ન બેસાડ્યા
એકવાર રજની પટેલની પાર્ટીમાં મહારાષ્ટ્રનાં તત્કાલીન કાયદા મંત્રીએ ખુબ જ દારૂનો નશો કરી લીધો જે બાદ બાલ ઠાકરેએ તેમને પોતાની કારમાં મૂકી જવાનો આગ્રહ કર્યો જે બાદ જ્યારે તેઓ કારમાં બેઠા ત્યારે કાયદા મંત્રી પોતાનાં પરનો કાબૂ ગુમાવી બેઠા અને કારમાં જ પેશાબ કરી દીધો.પ્રખ્યાત પત્રકાર અનુસાર આ ઘટના બાલ ઠાકરે ઘણી વખત ખુબ મજા લઈને કહી સંભળાવતાં હતા. આગળ કહ્યું કે મંત્રી ઓબેરોય હોટેલમાં આ જ મંત્રી ફરીથી મળ્યા ત્યારે તે નશામાં જ હતા પરંતુ અ વખતે ઠાકરેએ તેમને પોતાની કારમાં બેસાડ્યા નહિ.બાલાસાહેબ ઠાકરેનાં જીવનનાં ઘણા એવા કિસ્સાઓ છે જે આજે પણ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની જાય છે,બાલાસાહેબ પોતાની વાત નીડરતાથી મૂકતાં અને ક્યારેય કોઈ ની સામે નમતું કરવાની એમની ટેવ ન હતી.
ઠાકરેએ બચ્ચનને કહ્યું કે હું ક્યારેય દુઃખ પ્રગટ કરતો નથી
આવો જ એક કિસ્સો 1995ઓ છે જ્યારે મણીરત્નમની ફિલ્મ બોમ્બે રીલીઝ થઇ. આ ફિલ્મ મુંબઈમાં થયેલાં સાંપ્રદાયિક હુલ્લડો પર આધારિત હતી અને તેમાં ખાસ કરીને શિવસૈનિકોને હિંસા કરતાં દર્શાવવામાં આવ્યા જોકે એક સીનમાં બાલ ઠાકરે દુઃખ વ્યક્ત કરતાં હોય તેવું પણ દર્શાવવામાં આવ્યું હતું. જે બાદ બાલસાહેબે આ ફિલ્મને મુંબઈમાં રીલીઝ થવા પર પ્રતિબંધનું એલાન કરી દીધું. જેથી ગભરાયેલાં ફિલ્મનાં ડિસ્ટ્રીબ્યુટર અમિતાભ બચ્ચન તેમને મળવા પહોંચ્યા અને પૂછ્યું કે શું શિવસૈનિકોને હિંસક બતાવવામાં આવ્યું તે તમને ન ગમ્યું? તો તેમણે જવાબ આપતા કહ્યું કે ના. તેમને તે વાતનું ખોટું લાગ્યું કે એમના ચરિત્રને દુઃખ પ્રગટ કરતું દર્શાવવામાં આવ્યું.તેમણે કહ્યું કે તેઓ ક્યારેય કોઈ વાતનું દુઃખ પ્રગટ કરતાં નથી.