પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોના ફિંગર પ્રિન્ટ અને આઈ સ્કેન નહીં થાય.
બાળકો માટે બાળ આધાર બનશે
UIDAI દ્વારા બાળકોના આધાર બનાવવાની સુવિધા
વાદળી રંગનું મળશે આ આધાર કાર્ડ
દરેક ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આધાર કાર્ડ ફક્ત એક દસ્તાવેજ નથી પરંતુ ઓળખ પત્ર છે. કોઈ પણ નાણાકીય લેવડદેવડ અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર ખૂબ જ જરૂરી છે. આધારમાં ન ફક્ત તમારા સરનામાની જાણકારી હોય છે. પરંતુ તેમાં વ્યક્તિના બાયોમેટ્રિકની જાણકારી પણ હોય છે. આધાર કાર્ડ ઈશુ કરનાર સંસ્થા UIDAI બાળકોના આધાર બનાવવાની સુવિધા પણ આપે છે. જી હાં. તમારા બાળકો માટે બાલ આધાર બનાવી શકાય છે.
વાદળી રંગનું હોય છે આધાર કાર્ડ
જો તમારૂ બાળક પાંચ વર્ષથી ઓછી ઉંમરનું છે તો તમે તેનુ બાળ આધાર બનાવી શકો છો. બાળકો માટે ઈશુ કરવામાં આવતા આધાર વાદળી રંગના હોય છે. બાલ આધાર માટે બાળકોની ઓળખની જરૂર નથી હોતી. ત્યાં તેમને તેમના માતા પિતાની સાથે જવાનું હોય છે. પરંતુ બાળકોના પાંચ વર્ષના થવા પર તેમને આધાર સેન્ટર લઈ જઈને તેમની આધાર સંખ્યાથી બાયોમેટ્રિકનું વિવરણ રજીસ્ટ્રર કરવાનું રહે છે.