ઉત્તર પ્રદેશમાં સતત બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહેલા યોગી આદિત્યનાથને મઉની કોર્ટ તરફથી નોટિસ મોકલવામાં આવી છે.
મઉની કોર્ટમાં યોગી આદિત્યનાથી વિરુદ્ધ ફરિયાદ
બજરંગ બલીને લઈને આપ્યું હતું નિવેદન
26 એપ્રિલે કોર્ટ કરશે સુનાવણી
ઉત્તર પ્રદેશમાં સતત બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહેલા યોગી આદિત્યનાથને મઉની કોર્ટ તરફથી નોટિસ મોકલવામાં આવી છે. બજરંગબલીને દલિત બતાવાના મામલામાં તેમને નોટિસ મોકલવામાં આવી છે. મઉ નિવાસી નવલ કિશોર શર્માએ આ મામલે ફરિયાદ દાખલ કરતા ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. જિલ્લા અને સત્ર ન્યાયાધીશ રામેશ્વરે આ મામલે આગામી સુનાવણી 26 એપ્રિલે નક્કી કરી છે.
યોગી આદિત્યનાથી વિરુદ્ધ ફરિયાદ
દોહરીઘાટના પોલીસ સ્ટેશન હદના ભગવાનપુરાના દોહરીઘાટ નિવાસી નવલ કિશોર શર્માએ સ્પેશિયલ મજિસ્ટ્રેટ એમપી એમએલએ કોર્ટ શ્વેતા ચૌધરીની કોર્ટમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં રાજ્યના મુખ્યમંત્રી અજય બિષ્ટ ઉર્ફ યોગી આદિત્યનાથને આરોપી બનાવામા આવ્યા હતા.
રાજસ્થાનમાં આપ્યું હતું વિવાદીત નિવેદન
નવલ કિશોરે ફરિયાદમાં કહ્યું હતું કે, યોગી આદિત્યનાથે રાજસ્થાનના અલવરના માલખેડામાં 28 નવેમ્બર 2018ના વિધાનસભા ચૂંટણી દરમિયાન એક રેલીને સંબોધન કરતા કહ્યું હતું કે, બજરંગ બલી વનવાસી, ગિરિવાસી અને દલિત હતા. નવલ કિશોરના જણાવ્યા અનુસાર તેમના આ વક્તવ્યથી ફરિયાદી તથા બજરંગીમાં આસ્થા રાખનારા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે.
26 એપ્રિલે કરશે સુનાવણી
અધિક મુખ્ય ન્યાયિક મજિસ્ટ્રેટ/એમપી એમએલએ કોર્ટે રદ કરી દીધી હતી. જજ શ્વેતા ચૌધરીએ 11 માર્ચના રોજ કહ્યું હતું કે, ઘટના રાજસ્થાનની છે, અને તે મઉ ક્ષેત્રાધિકારથી બહાર છે. નવલ કિશોરે આ જિલ્લાની જજ કોર્ટમાં પડકાર આપ્યો હતો. સુનાવણી બાદ ન્યાયાધીશે ફૌઝદારી દેખરેખ હેઠળ નોંધવાનામાં આવેલી ફરિયાદ અનુસાર સુનાવણી 26 એપ્રિલે કરશે. તો વળી ન્યાયાધીશે મુખ્યમંત્રી સહિત અન્ય વિપક્ષીને નોટિસ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.