કરીના કપૂર ખાને સીતાનો રોલ ભજવવા માટે 12 કરોડ રૂપિયાની માગણી કરી હતી. જે બાદ તે ખુબ ટ્રોલ થઇ હતી પરંતુ હવે આ વિવાદમાં બજરંગદળ જોડાઇ ગયુ છે.
કરીના કપૂર ખાન થઇ ટ્રોલ
બોલીવૂડ એક્ટ્રેસ બજરંગદળના નિશાને
કરીનાને લઇને થયો વિવાદ
ફિલ્મ સીતાનું શૂટિંગ પણ હજુ શરૂ નથી થયુ તે પહેલા જ ફિલ્મને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં સીતાનો રોલ કરીના કપૂર ભજવશે તેવી વાત સામે આવી હતી પરંતુ નાગપુરમાં બજરંગદળના કાર્યકર્તાઓએ અભિનેત્રી વિરુદ્ધ મેમોરેન્ડર આપવાની ચેતવણી આપી હતી. આ મેમોરેન્ડમમાં કરીનાની બિકીની તેમજ દરગાહની તસવીરો પણ સામેલ છે.
કરીનાને લઇને ઉઠ્યો વિવાદ
બજરંગદળના કાર્યકર્તાઓએ સવાલ ઉઠાવ્યો હતો કે શા કારણે હિન્દુ પાત્ર ભજવવા માટે મુસ્લિમ લોકો સિલેક્ટ કરવામાં આવે છે. તાંડવમાં કરીનાનો પતિ હતો અને હવે સિતામાં કરીના કપૂર ખાન છે. તેનાથી હિન્દુ સમાજની લાગણી દુભાય છે. વધુમાં કહ્યું કે, આ જેહાદી સમાજ છે અને તેઓ હિન્દુ સમાજ વિશે સારી માનસિકતા ધરાવતા નથી.
કરીના થઇ હતી ટ્રોલ
લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગ બાદ કરીના કપૂરે સીતાના રોલ માટે હા કીધી હોવાની વાત સામે આવી છે. સીતાના રોલ માટે તેણે મેકર્સ પાસે મસમોટી રકમ માગી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
કરીનાએ આજ સુધી દરેક ફિલ્મ માટે 6 થી 8 કરોડ રૂપિયા ફી વસૂલી છે પરંતુ સીતાના રોલ માટે તેણે 12 કરોડ રૂપિયા ફીની માગ કરી છે. આ ન્યૂઝ બાદ સોશ્યલ મિડીયા પર લોકો એક્ટ્રેસને ટ્રોલ કરી રહ્યાં છે અને #BoycottKareenaKhan ટ્રેન્ડ કરી રહ્યું છે.
બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન છેલ્લા થોડા સમયથી સતત કોવિડ-19 વિશે સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરી રહી છે. હવે તેણે પોસ્ટ કરી છે કે તે તૈમૂરને કેવી રીતે આ મહામારી વિશે સમજાવે છે.
ટોમ એન્ડ જેરી વીડિયો વાયરલ
કરીના કપૂર ખાને ફેમસ કાર્ટુન કેરેક્ટર ટોમ એન્ડ જેરીનો વીડિયો પોસ્ટ કર્યો છે અને તેમાં બતાવવામાં આવ્યુ છે કે કેવી રીતે વેક્સિન લેવા પર કોરોના વાયરસ કમજોર થવા લાગે છે. વીડિયો પોસ્ટ કર્યો ત્યારથી તે ખુબ વાયરલ થઇ રહ્યો છે. સાથે જ કરીનાએ પોતાના વિચાર કેપ્શનમાં લખ્યા છે.
બાળકો ઓબ્ઝર્વ કરે છે
કરીના કપૂર ખાને લખ્યુ કે આપણને કદાચ તે વાતનો અહેસાસ નથી કે જે પણ થઇ રહ્યુ છે તે આપણા બાળકો પણ ઓબ્ઝર્વ કરે છે અને આ બધાથી તે ડરી રહ્યાં છે. અમે ટીમ સાથે વાત કરીએ છીએ અને તેને સમજાવીએ છીએ કે એડલ્ટ્સે વેક્સિન લેવી કેમ જરૂરી છે અને મને લાગે છે કે આ વાત કમજાવવા માટે ઇનફ છે.