અમદાવાદના સાબારમતી રિવરફ્રન્ટ ઉપર વેલેન્ટાઈન ડે મનાવવા આવેલા યુવક યુવતીઓને દંડાથી ફટકારીને ભગાડતો બજરંગ દળનો વીડિયો સામે આવ્યો છે. આ મામલે એવી ચર્ચા ઉઠી રહી છે કે દર વર્ષે બજરંગ દળ કેમ કાયદો હાથમાં લે છે. કોઈને ડરાવવા ધમકાવવા એ યોગ્ય છે?
અમદાવાદમાં વેલેન્ટાઇન ડે ની ઉજવણીનો બજરંગદળ દ્વારા વિરોધ
બજરંગ દળના કાર્યકરોએ પ્રેમી પંખીડાઓને ભગાડ્યા
દંડાઓ સાથે બજરંગદળના કાર્યકર્તાઓએ પ્રેમીપંખીડાને ભગાડ્યા
આજે વિશ્વભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં પણ આ દિવસની યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી છે. ત્યારે બજરંગ દળ દ્વારા આ દિવસનો વિરોધ કરાયો.
અમદાવાદના રિવરફ્રન્ટ પર ઉજવણી કરતા પ્રેમી પંખીડા બેઠા હતા, ત્યારે જ બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. ત્યાર બાદ કાર્યકરોએ સૂત્રોચ્ચારો સાથે બેનર દર્શાવીને વિરોધ કર્યો હતો. કાર્યકર્તાઓએ દંડા સાથે પ્રેમી પંખીડાઓને રિવરફ્રન્ટથી ભગાડ્યા હતા.
કાયદો હાથમાં લીધો
બજરંગ દળે કાયદો હાથમાં લઈ લીધો હતો. કોઈ પણ વ્યક્તિને ધાકધમકી આપવી કે તેમને દંડો લઈને પાછળ પડવું તે કેટલી હદે યોગ્ય કહેવાય? એવા સવાલો પણ થઈ રહ્યા હતા.
ભારતીય સંસ્કૃતિ પ્રેમનો પ્રોત્સાહન આપતી સંસ્કૃતિ છે ત્યારે હંમેશા બજંરગદળ દ્વારા રિવરફ્રન્ટ ઉપર આતંક ફેલાવવામાં આવે છે. સામાન્ય રીતે વેલેન્ટાઈન ડે ઉજવવો એ કોઈ પાપ નથી કે કોઈ ગુનો નથી. હા જાહેરમાં અશ્ર્લીલ કરતો કરવી કે બિભત્સ વર્તન કરવું તે યોગ્ય નથી પરંતુ ઉજવણી કરી રહેલા લોકો સામે કાનૂન હાથમાં લેવો એ યોગ્ય નથી.