શિયાળામાં બાજરીનો રોટલો શરીરની અંદર ગરમી ઉત્પન્ન કરે છે. સાથે જ શરીરને ઘણા પ્રકારની બિમારીઓથી પણ બચાવે છે.
શિયાળામાં જરૂર ખાઓ બાજરીનો રોટલો
શરીરને રાખે છે સ્વસ્થ્ય
જાણો તેના ફાયદાઓ વિશે
શિયાળો શરૂ થઈ ચુક્યો છે. આ સિઝનમાં એવી વસ્તુઓ ખાવી જોઈએ જે શરીરને અંદરથી ગરમાવો આપે. એવામાં બાજરીનો રોટલો ખૂબ જ સારો વિકલ્પ છે. બાજરીમાં કેલ્શિયમ ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત તેમાં વિટામિન બી, ફાઈબર, પ્રોટીન, કાર્બન, આયર્ન, ખનિજ અને ફાઈટેટ, ફિનોલ અને ટેનિન જેવા એન્ટી ઓક્સિડેન્ટ્સ પણ મળી આવે છે. જાણો તેને ખાવાથી થતા ફાયદાઓ વિશે.
કબજીયાતની ફરિયાદને દૂર કરે છે બાજરી
બાજરીનો લોટ ગ્લૂટેન ફ્રી હોય છે અને ફાઈબરથી ભરપૂર હોય છે. જો શિયાળામાં તમે બાજરીના રોટલાનું સેવન કરો છો તો તેનાથી તમારા પેટની તમામ સમસ્યાઓ દૂર થાય છે. કબજીયાતની પરેશાની નથી થતી. પેટના સ્વસ્થ્ય રહેવાથી સ્વાસ્થ્ય સારૂ રહે છે.
વેટ લોસ અને ડાયાબિટીમાં મદદગાર
બાજરીનો રોટલો ખાવાથી તમારુ પેટ ભરેલું રહે છે જેનાથી તમે ઓવર ઈટિંગથી બચી શકો છો. વેટ લોસ કરવા માંગતા વ્યક્તિઓ માટે તે ખૂબ જ સારો વિકલ્પ છે. આ ઉપરાંત બાજરીનો લોટ પ્રી-બાયોટિકના રૂપમાં કામ કરે છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર
ઓમેગા 3 ફેટી એસિડ દરેકના શરીર માટે જરૂરી છે. આ શરીરની કોશિકાઓને ઠીક કરવાનું કામ કરે છે. પરંતુ શરીર તેને જાતે નથી બનાવી શકતું. આ પોલીઅનસેચુરેટેડ ફેટ હોય છે. જેને ફૂડ આઈટમ્સથી લઈ શકાય છે. પરંતુ બાજરીનું સેવન કરવાથી તમારા શરૂરને ઓમેગા 3 મળી જાય છે. એક્સપર્ટ્સની માનીએ તો બાજરીના લોટમાં બીજા અનાજની તુલનામાં વધુ ઓમેગા 3 ફેટી એસિડ મળી આવે છે.