કૈલાસ માનસરોવર યાત્રા માર્ગ પર બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બુંદીગાડ ખાતે બેલી બ્રિજનું નિર્માણ પૂર્ણ કરાયું છે. પુલ નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ સોમવારે સરકાર અને કેટલાક ખાનગી વાહનો પુલ પરથી પસાર થયા હતા. આ પુલના નિર્માણને કારણે વરસાદની ઋતુમાં પણ વાહનો ચલાવવામાં કોઈ તકલીફ નહીં પડે. આ સાથે કૈલાસ માનસરોવર યાત્રા પણ સરળ બની જશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ માર્ગનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યુ હતુ
બુંદીગાડ ખાતે 100 ફુટ લાંબા બેલી બ્રિજનું નિર્માણ પૂર્ણ થયુ
ગ્રામીણ મહિલાઓ અને પુરુષોએ નાચતા-ગાન કરીને ઉજવણી કરી
ચીન સરહદ માટે બની રહેલા ઘટ્ટાબગડ-લિપુલેખ રસ્તાના જોડાણ બાદ ગયા મહિને રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ માર્ગનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યુ હતુ. રસ્તા પર કેટલાક સ્થળોએ પુલનું બાંધકામ અને પહોળા કરવાનું કામ બાકી છે. હીરક પ્રોજેક્ટના અંતર્ગત રોડ કટિંગની સાથે બુંદીગાડ અને માલપામાં પુલનું નિર્માણ પણ ચાલી રહ્યું છે.
સોમવારે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બુંદીગાડ ખાતે 100 ફુટ લાંબા બેલી બ્રિજનું નિર્માણ પૂર્ણ થયુ. બીઆરઓ અધિકારીઓની હાજરીમાં મંગળવારે વિધિસરની પૂજા કર્યા બાદ વાહનોએ બ્રિજ પરથી સંચાલન શરૂ કર્યુ હતુ. બીઆરઓ વાહનોની સાથે કેટલાક ખાનગી વાહનો પણ આ પુલ પરથી પસાર થયા હતા. પુલના ઉદ્ઘાટન સમયે કર્નલ સોમેન્દ્ર બેનર્જી, ઓસી ગુરતેજ સિંઘ, એઇ પી મંડળ, એઇ રાહુલ સિંહ હાજર રહ્યા હતા.
ત્યારે માલપામાં પણ દોઢ સો ફૂટ લાંબી બેલી બ્રિજનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ પુલનું નિર્માણ પણ આગામી એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. અત્યાર સુધી નદીના માર્ગ પરથી જ વાહનો કાર્યરત રહેશે. આ પુલના નિર્માણને લીધે વરસાદી ઋતુમાં કોઈ વિક્ષેપ વિના વાહનોની અવરજવર સરળતાથી થશે. આર્મી, આઈટીબીપી, એસએસબી સહિતના સ્થાનિક લોકોને આવનજાવન કરવામાં સગવડ મળશે. કૈલાસ યાત્રા, છોટા કૈલાસ, ઓમ પર્વતની યાત્રા પણ સરળ રહેશે.
બીજી તરફ બેલી બ્રિજના નિર્માણથી વ્યાસ ખીણના લોકો ખુશ છે. પુલ બન્યા પછી ગ્રામીણ મહિલાઓ અને પુરુષોએ નાચતા-ગાન કરીને ઉજવણી કરી હતી. છેલ્લા બે દાયકાથી કૈલાસ માનસરોવર યાત્રા માર્ગ તૈયાર કરાયો છે. ચીનની સરહદને જોડતો આ રસ્તો વ્યાસ ખીણમાંથી પસાર થાય છે. રસ્તાના અભાવે બુંદીગાડ, ગર્બ્યાંગ, નપલચ્યૂ, ગુંજી, નાવી, રાંગકાંગ, કુટીના ગામના લોકો પગપાળા સ્થળાંતર કરે છે.
તવઘાટથી માર્ગમાં આવતા વહેતા તીવ્ર પ્રવાણ વાળા નાળા, આકરા ચઢાણના કારણે તમામ મુસિબતોનો સામનો કરવો પડ્તો હતો. હવે રસ્તાના નિર્માણથી લોકોને વાહનોની સુવિધા મળશે. અહીંના લોકો લાંબા સમયથી રસ્તાનું સપનું જોઈ રહ્યા હતા. હવે જઈને અહીના લોકોનું સપનું પુરુ થયું છે.