રાજકોટ જિલ્લાના મોવિયા ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલો કરનાર ભાજપના આગેવાન સહિત 8 લોકોના જામીન ફગાવી તમામને જેલ ભેગા કરાયા છે.
રાજકોટના મોવિયામાં PGVCL અધિકારીઓ પર હુમલાનો મામલો
હુમલો કરનારા ભાજપ નેતા ધીરૂ તળપદાના જામીન નામંજૂર
ભાજપના આગેવાન સહિત આઠ જેલ ભેગા
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવિયા ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલાનો બનાવ પ્રકાસમાં આવ્યો હતો. ભાજપના અગ્રણી અને પુર્વ જિલ્લા પંચાયતના સભ્ય ધીરુ તળપદા, તેની પત્ની ભારતીબેન સહીત આઠ શખ્સોએ હુમલો કર્યો હતો. જે ને પગલે ચેકિંગ ટુકળીના ઈજનેરને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ફરિયાદ બાદ 8 શખ્સોની ધરપકડ કરાઇ છે. ત્યારે પ્રવકતા જીતુ વાઘાણીએ એક નિવેદન જારી કરી કોઈએ કાયદો હાથમાં ન લેવો જોઈએ તેમ જણાવ્યુ હતું.
ડેપ્યુટી એન્જિનિયર ભાર્ગવ પુરોહિત સહિત ત્રણ લોકોને થઇ હતી ઇજા
મોવિયા ગામે ભાર્ગવ નંદલાલ પુરોહીત (ઉ.વ.53 જૂનાગઢ ડીવીઝન-1 પીજીવીસીએલ કચેરી, નાયબ ઇજનેર) સહિત એક ટીમ ધીરુ મેપા તળપદાના ઘરે વીજ ચેકીંગ અર્થે ગઈ હતી. આ દરમિયાન તેના ઘરમાં વીજ ચેકીંગ કરતાં હતા ત્યારે ધીરુ તળપદા અને તેના પત્ની ભારતીબેને ગાળો આપી વીજ ચેકીંગ કરવાની મનાઈ કરી હતી. વધુમાં ધક્કા મારી ઘરની બહાર કાઢી મુક્યા હતા. આ વેળાએ ચિરાગ હેમંત તળપદા, જીગ્નાબેન ચેતન તળપદા, રમેશ મેપા તળપદા અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવી આવ્યા હતા. જેમણે ઝઘડો કરી ટીમ ઉપર હુમલો કર્યો હતો. જેમાં ભાર્ગવ નંદલાલ પુરોહીત સહિત ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. જેથી તત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ભાજપના અગ્રણી સહિત અન્ય 7 લોકોના જામીન નામંજૂર
સમગ્ર ઘટનાને લઈને ભાર્ગવ પુરોહીતે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હુમલાખોર ધીરુ મેપા તળપદા, ચિરાગ હેમંત તળપદા, ભારતીબેન ધીરુ તળપદા,જીગ્નાબેન ચેતન તળપદા, રમેશ મેપા તળપદા અને અજાણ્યા ત્રણ શખ્સોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ મુદ્દે હુમલો કરનારા ભાજપના અગ્રણી ધીરૂ તળપદા સહિત અન્ય 7 લોકોના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે આથી તમામને કાર્યવાહી બાદ જેલ ભેગા કરવામાં આવ્યા હતા.
કોઈએ કાયદો હાથમાં ન લેવો જોઈએ : જીતુ વાઘાણી
રાજકોટ નજીક PGVCL કર્મચારી પર હુમલા પ્રકરણમાં સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે કોઈએ કાયદો હાથમાં લેવો ન જોઈએ. ભાજપનો કાર્યકર્તા હોય કે અન્ય પક્ષના કાર્યકર્તા હોય કાયદો તમામ માટે સરખો જ છે. આ મુદ્દે સબંધિત વિભાગ તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ અંતમાં જીતુ વાઘાણીએ ખાતરી આપી હતી.