યુવક પોતાની પત્ની અને બાળકોનો વિરહ સહન ન કરી શક્યો અને તેણે પોતાના રૂમમાં પંખાથી લટકીને જીવ આપી દીધો.
બાળકોના વિરહમાં પિતાએ કરી આત્મહત્યા
ફાંસી પર લટકતી મળી લાશ
પોલીસે શરૂ કરી તપાસ
બહરાઈચમાં એક 30 વર્ષીય નવયુવક પોતાની પત્ની અને બાળકોનો વિરહ સહન ન કરી શક્યો અને તેણે પોતાના રૂપમાં પંખા પર લટકીને જીવ આપી દીધો. તેણે સુસાઈડ કર્યા પહેલા પોતાના રૂમમાં જ પોતાની પત્નીએ આપેલા માનસીક ત્રાસની કહાની રોતા મોબાઈલમાં રેકોર્ડ કરી. સવારે પોલીસને તેની ફાંસીએ લટકવાની સુચના મળી.
રડતા રડતા મોબાઈલમાં કર્યું રેકોર્ડિંગ
બહરાઈચ જિલ્લાની સિટી કોતવાલી પોલીસે જણાવ્યું કે મોહલ્લા બશીરગંજના ઈસ્માઈલ ઉર્ફે ઘરમાં ઈમરાન તરીકે જાણીતા 30 વર્ષીય નવયુવકે ગઈકાલે રાત્રે 25/26 ઓક્ટોબરની રાતે પહેલા પોતાના રૂમમાં પોતાની પત્ની દ્વારા માનસિક રીતે પ્રતાંડીત કરવાની કહાની રડી રડીને મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી છે.
ત્યાર બાદ તેણે રૂમમાં લાગેલા પંખાથી લટકીને ફાંસી લગાવી દીધી. મૃતક ઈસ્માઈલે ભાવુક મનથી પોતાની પત્નીને સંબોધિત વીડિયોમાં કહ્યું કે નાઝિયા તે ખૂબ જ ખોટુ કર્યું છે. મને મારા બાળકોથી દૂર કરવા અને સંબંધ પૂરો કરવો ખૂબ જ ખોટું છે. આજે હું ક્યાંયનો નથી રહ્યો. મેં મારા માતા-પિતાને છોડીને ફક્ત તારો સાથ પકડ્યો.
ઈસ્માઈલે આગળ કહ્યું, "તે મારો સાથ છોડી દીધો. આજે હું મરી રહ્યો છું હવે જીવવાની ઈચ્છ નથી. હું તને એટલો પ્રેમ કરૂ છું જેટલો મારા બાળકોથી કરૂ છું. આપણે બધુ જ આપણાં બાળકો માટે કર્યું, તું આપણા બાળકોને લઈને ગઈ છે અને હું જાણું છું કે તેને હવે તું મને નહીં આપે. તે સારૂ ન કર્યું. તને ખબર છે કે હું બાળકો વગર નથી રહી શકતો. "
શું છે મામલો?
રિટાયર્ડ દીવાન મહબૂબ આલમના દિકરા મૃતક ઈસ્માઈલ ઉર્ફ ઈમરાન નગર કોતવાલી પોલીસ સ્ટેશન અંતર્ગત બશીરગંજ વિસ્તારમાં ઘણા દિવસોથી પોતાની પત્ની નાઝીયાની સાથે રહેતો હતો. પાછલા થોડા દિવસો પહેલા નાઝીયા પોતાના પતિ ઈમરાનથી નારાજ થઈને પોતાના પિયર જતી રહી હતી પરંતુ ઈમરાનથી પોતાના બાળકોની જુદાઈ સહન ન કરી શક્યો અને વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી.