બાગેશ્વર ધામ સરકારને લઈને વિવાદ વધુ ગરમાયો છે ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે 'હું કોઈથી ડરતો નથી, હિન્દૂ શેર છીએ ભાગેડૂ નહીં...'
બાગેશ્વર ધામ સરકારનાં વિવાદમાં નવો વળાંક
ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન થયું જાહેર
કહ્યું કે ડરતો નથી..હિન્દૂ શેર છીએ
બાગેશ્વર ધામ સરકારને લઈને શરૂ થયેલો વિવાદ વધી રહ્યો છે. પોતાના ઉપર લગાવવામાં આવેલ આરોપો પર કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તેમને લઈને સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે તે દેશમાં અંધવિશ્વાસ ફેલાવવાનું કામ કરી રહ્યાં છે. તેમની પાસે કોઈ સિદ્ધી નથી અને તે લોકોની ભાવનાઓ સાથે રમી રહ્યાં છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પર આવા આરોપો મહારાષ્ટ્રની એક સંસ્થાએ લગાવ્યાં છે. બાગેશ્વર ધામ સરકારનાં પ્રસિદ્ધ કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના પર લગાવવામાં આવેલા આરોપોનો ખુલાસો કર્યો છે.
હું કોઈથી ડરતો નથી, હિન્દૂ શેર છીએ ભાગેડૂ નહીં...'
તેમણે કહ્યું કે 'હું કોઈથી ડરતો નથી, હિન્દૂ શેર છીએ ભાગેડૂ નહીં...' તેમણે વધુમાં કહ્યું કે 'અહીંયા તો લોકો ભગવાન રામને પણ નથી છોડતાં તેમના પર પણ સવાલો ઊઠાવે છે. ભગવાન રામથી તેમના હોવાના પૂરાવાઓ માંગવામાં આવ્યાં છે. અમે તો માણસ છીએ, અમને થોડી છોડશે...'
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) January 19, 2023
મહારાષ્ટ્રની સંસ્થાએ લગાવ્યાં આરોપ
મહારાષ્ટ્રની સંસ્થા અંદ્ધશ્રદ્ધા ઉન્મૂલન સમિતિનાં શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ મૂક્યો છે. તેમણે બાગેશ્વર ધામ સરકારને પડકાર્યું છે કે તે નાગપુર મંચ પર આવે અને પોતાનો ચમત્કાર દેખાડે. સંસ્થાને કહ્યું કે જો ધીરેન્દ્ર શાસ્ત્રી એવું કરે છે તો તેને 30 લાખ રૂપિયા આપવામાં આવશે પરંતુ તેમણે આ ચેલેન્જ સ્વીકારી નથી.
आज देश के क़द्दावर मंत्री और भारतीय राजनीति के कर्मपुरुष के रूप में प्रसिद्ध माननीय केंद्रीय मंत्री श्री नितिन गड़कड़ी जी कथा के मध्य पहुँचे उन्होंने पूज्य सरकार और व्यासपीठ का आशीर्वाद लिया साथ में आए नागपुर के अपार जनमानस को साधुवाद दिया….@OfficeOfNGpic.twitter.com/Sb8212wgDz
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) January 8, 2023
આ બાબા સામે નીતિન ગડકરી પણ માથું નમાવે છે
26 વર્ષીય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનાં હજારો લોકો ભક્ત છે જેમની સામે નીતિન ગડકરી પણ માથું નમાવે છે. આ બાબા પોતાના પાસે હંમેશા એક ગદા રાખે છે. આલોચના કરનારાની સામે જવાબ આપતાં પ્રવચન દરમિયાન બાબાએ કહ્યું કે હનુમાનજી અમને જે પ્રેરણા આપશે તે જ અમે જણાવશું, આ વિધર્મીઓ ઘણાં આવશે અને જે બોલી રહ્યાં છે તેમને એટલું જ કહેવું છે કે અમે પણ અંધવિશ્વાસનાં વિરોધી છીએ. અમે પણ ગુનિયા, ઓઝા, તાંત્રિકોનાં વિરોધી છીએ.
કોણ છે બાગેશ્વર ધામ સરકાર?
બાગેશ્વર ધામ સરકાર મધ્યપ્રદેશનાં છત્તરપુર જિલ્લામાં સ્થિત છે. બાગેશ્વર દરબારમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની અરજીઓ લઈને આવતાં હોય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામ સરકારનાં નામથી દુનિયાભરમાં પ્રસિદ્ધી મેળવી ચૂક્યાં છે. તેમના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણાં વાયરલ થતાં હોય છે. કહેવામાં આવે છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોનાં મનની વાતો વાંચી શકે છે. એટલું જ નહીં શાસ્ત્રી દરબારમાં આવેલા વ્યક્તિનાં મોબાઈલ નંબર અને ઘરમાં રાખેલી ચીજો વિશે પણ માહિતી આપે છે.