તારક મહેતા...શોમાં હાલ મજેદાર ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. ગોકુલધામવાસી સીધુ કામ કરવા જાય પણ ઉંધુ થઇ જાય છે.
બાઘાના કારણે જેઠાલાલ મુકાયા મુસિબતમાં
ચંપક ચાચા કરીને બેઠા હતા પ્લાન
ભોગીલાલ પાસેથી પૈસા કઢાવી શકશે જેઠાલાલ?
ગોકુલધામવાસી જેઠાલાલના ઘરે ભેગા થયા છે અને ભોગીલાલ પાસેથી જેઠાલાલના પૈસા કેવી રીતે પડાવવા તેનુ પ્લાનિંગ કરી રહ્યાં છે. ભોગીલાલ આવ્યો છે અને જેઠાલાલની જમીન ખરીદીને તેને પૈસા આપવાનો છે પણ તેને જાણ નથી કે તે જેઠાલાલનું ઘર છે અને ચંપક ચાચા તેના પિતા છે. સુંદરલાલની મદદથી આ કામ થઇ રહ્યું છે.
બાઘાએ માર્યા લોચા
બધા લોકો ભોગીલાલ સાથે વાત કરી રહ્યાં હતા ત્યારે અચાનક બાઘા જેઠાલાલના ઘરે પહોંચી જાય છે. બાઘો તો ભોગીલાલને ઓળખે છે ત્યારે ગોકુલધામવાસીઓના હાથે ભોગીલાલ લાગ્યો છે, બસ આ બાઘાને જોઇને ભાગી ન જાય. હવે જેઠાલાલ ભોગીલાલ પાસેથી પૈસા વસૂલી શકે છે કે નહી તે જોવુ રહ્યું.
શુદ્ધરૂપથી મનોરંજક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ બધાના ઘરે પરિવાર સાથે જોવાતી સિરીયલ છે. શોના કેટલાક પાત્ર બદલાઇ ચૂક્યા છે તેમ છતાં તેની છાપ તેની તે જ છે. વર્ષોથી તારક મહેતા સાથે જોડાયેલા કલાકારો શો છોડી રહ્યાં છે. તેની પાછળના કારણને લઈને થઈ રહી છે ચર્ચા. જાણો શોમાં કેમ આવું થઈ રહ્યું છે.
દર્શકોનો ફેવરિટ કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા લાંબા સમયથી લોકોને એન્ટરટેન કરી રહ્યો છે. ટીઆરપી મામલેપણ આ શો હમેશાં ટોપમાં રહે છે. પરંતુ દરેકને હંસાવનારો આ શો ઘણી વખત વિવાદોમાં પણ રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ શો ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. જેની પાછળનું કારણ તો લોકો સામે નથી આવી રહ્યું પરંતુ એવું કહેવામાં આવે છે કે સીરિયલના નિર્માતા અસિત કુમાર મોદીના વ્યવહારને કારણે પણ વિવાદ સર્જાય છે.
અસિત મોદીના કારણે કલાકાર શો છોડી રહ્યાં છે?
તારક મેહતા શોથી નેહા મેહતા દૂર થઈ ગઈ છે. તેના પછી સોઢીનું પાત્ર ભજવી રહેલાં કલાકાર ગુરૂચરણ સિંહે પણ શો છોડી દીધો છે. એવામાં હવે સવાલ એ થઈ રહ્યાં છે કે આટલા જુના કલાકારો આવી રીતે કેમ શો છોડી રહ્યાં છે ? હવે આ તમામ સવાલો ઉપર તારક મેહતાની નવી અંજલી મેહતા બનેલી સુનૈના ફૌજદારે જવાબ આપ્યો છે. તેણે એક ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું કે હકીકતઆ તમામ અટકળો કરતા અલગ જ છે.