'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટેલિવિઝન પર સૌથી લાંબા સમયથી ચાલનારા શોમાંથી એક છે. આ શોમાં ગોકુલધામ સોસાયટી અને ત્યાંના રહેવાસીઓની તકલીફો અને પરેશાનીઓને કોમેડી સાથે દર્શાવવામાં આવે છે. આ શોના 3000 એપિસોડ્સ થોડાં સમયમાં જ ખતમ થવાના છે. મેકર્સ શોમાં નવા-નાવ ટ્વિસ્ટ અને સસ્પેન્સ એડ કરતાં રહે છે અને હવે શોમાં બાઘાને કારણે આત્મારામ ભિડે અને જેઠાલાલ વચ્ચે જબરદસ્ત ઝગડો થવાનો છે.
હકીકતમાં મંગળવારના એપિસોડમાં બતાવવામાં આવ્યું કે, બાઘાએ આત્મારામને મેસેજ કર્યો, જેમાં તેણે લખ્યું, તમે મૂર્ખ છો. મેસેજ વાંચ્યા પછી, આત્મરામને ગલતફેમી થઈ ગઈ છે કે, આ જેઠાલાલે કરાવ્યું છે. જેના કારણે સવારે આ બંને વચ્ચે જબરદસ્ત ઝઘડો થયો છે.
રિપોર્ટ્સ મુજબ આવનારા દિવસોમાં શોમાં ધમાકેદાર ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળશે. શોમાં દેખાડવામાં આવશે કે માત્ર આત્મારામ ભિડેને જ નહીં, પરંતુ સમગ્ર ગોકુલધામ વાસીઓને આ મેસેજ મળે છે. જે બાદ આખી સોસાયટીમાં હંગામો થઈ જશે.
હવે એ જોવાની મજા આવશે કે, શોમાં બાઘાએ બધાને આવો મેસેજ કેમ કર્યો અથવા તો પછી કોઈ બાઘાના નામે આ મેસેજ મોકલી મજાક કરી રહ્યું છે. આ બધું તમને આગામી એપિસોડ્સમાં જાણવા મળશે.
તમને જણાવી દઈએ કે, થોડાં સમય પહેલાં જ શોમાં વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર તેમની ફિલ્મને પ્રમોટ કરવા પહોંચ્યા હતા. આ સિવાય પંજાબી સિંગર જસ્સી ગિલ પણ તેની ફિલ્મ પંગાના પ્રમોશન માટે શોમાં પહોંચ્યા હતા. પંગામાં કંગના રણોત લીડ રોલમાં હતી.