વડોદરા ખાતે આજે બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો છે. ત્યારે બપોરે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટમાં તેઓ પર હિપ્નોટાઈઝ કરવાનો જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જે બાબતે તેઓએ જણાવ્યું હતું કે, આ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટેનો ઉપાય છે. જેથી તમારી પાસે તે લોકોનાં નામ પહોંચી જાય. ત્યારે આવું કશું હોત તો અત્યાર સુધી મેં કરોડો અરબો રૂપિયા લઈ લીધા હોત. તમે થયા હિપ્નોટાઈઝ. ત્યારે આ બધા સસ્તી લોકપ્રિયતાનાં લક્ષણ છે.
ભગવાન શ્રી કૃષ્ણને પણ ખબર હતી કે મહાભારત થશે પણ ટાળી ન શક્યાઃ ધીરેન્દ્ર શાસ્ત્રી
ઓડિશા ટ્રેન દુર્ઘટના બાબતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આજે સવારે જ મને ટ્રેન દુર્ઘટનાનાં સમાચાર મળ્યા છે. આ જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે. ત્યારે હું બાલાજીનાં ચરણોમાં એવી પ્રાર્થના કરીશ કે દેશમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય તેમજ બધાનું મંગળ થાય. તેમજ દિવંગત આત્માઓને પરમાત્માનું સ્થાન પ્રાપ્ત થાય. તેમજ તેમના પરિવારજનોને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે. ત્યારે રિપોર્ટરે ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછ્યું હતું કે બાબાજી તમને આવી ઘટનાઓની પહેલેથી જાણ હોય છે. જેનાં જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, દેશ તેમજ વિશ્વનાં હિતની અમુક ઘટનાઓનો અનુભવ થાય છે. અને તેવી ઘટનાઓ માટે માત્ર મંગળ કામના કરી શકીએ છીએ. પરંતું એક વાત સાંભળો ખબર હોવી અલગ છે અને ટાળવું અલગ છે. ભગવાન શ્રી કૃષ્ણને પણ ખબર હતી કે મહાભારત થશે પણ ટાળી ન શક્યા. બહેન-દિકરીને લવ જેહાદથી બચાવવા હિન્દુ રાષ્ટ્રની માંગ અવશ્ય ઉઠાવશેઃ ધીરેન્દ્ર શાસ્ત્રી
હિન્દુ રાષ્ટ્ર બાબતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે દરેક હિંદુ જાગશે. તેમજ બે તિહાઈ મત અવાજ ઉઠાવશે. જે પ્રકારે અમારી રામ મંદિરની માંગ હતી. આઝાદી બાદ જે પ્રકારે રોટી, કપડા અને મકાન માંગી રહ્યું છે હિન્દુસ્તાન. તે જ રીતે ભારતમાં થોડાક દિવસની અંદર દરેક હિન્દુ પોતાની સંસ્કૃતિ તેમજ પોતાની બહેન-દિકરીને લવ જેહાદથી બચાવવા હિન્દુ રાષ્ટ્રની માંગ અવશ્ય ઉઠાવશે. જો અવાજ નહી ઉઠાવે તો જે હાલત દિલ્હીમાં સાક્ષીની થઈ તે તમારી પણ બહેન-દિકરીનો થઈ શકે છે.