બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Bageshwar Dham Watch What happened when Pandit Dhirendra Shastris application was filed in Bageshwar Dham self disclosed

બાગેશ્વર ધામ / શું થયું હતું કે જ્યારે ખુદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની બાગેશ્વર ધામમાં લાગી હતી અરજી, VIDEOમાં કર્યો ખુલાસો

Arohi

Last Updated: 11:23 AM, 22 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના બાળપણની વાત જણાવી રહ્યા હતા જ્યારે તે બીજાની જેમ પોતાના ગામના બાલાજી દરબારમાં અરજી લગાવતા હતા. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

  • ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની બાગેશ્વર ધામમાં લાગી હતી અરજી
  • ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના બાળપણની વાત જણાવી 
  • સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો વીડિયો 

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગ્રામ ગઢામાં સ્થિત બાગેશ્વર ધામમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી ચિઠ્ઠી બનાવીને લોકોની સમસ્યાઓને જણાવી અને નિવારણ કરવાનો દાવો કરે છે. તે પોતાના દરબારમાં બેઠેલા લોકોમાં વચ્ચેથી કોઈને બોલાવીને તેની અરજી સાંભળે છે. વચ્ચે વચ્ચે તે ત્યાં બેઠેલા લોકો સાથે વાત કરે છે અને ઉપદેશ પણ આપે છે. 

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે પોતાના બાળપણની વાર્તા જણાવે છે. જ્યારે તે બાકીને જેમ પોતાના ગામના બાલાજી દરબારમાં અરજી લગાવતા હતા. આવો જાણીએ કે બાળ અવસ્થામાં તેમણે શું અરજી લગાવી હતી. 

ધીરેન્દ્ર શાસ્ત્રીની વિચિત્ર અરજી 
બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી દરબારમાં બેઠેલા લોકોએ જણાવ્યું છે કે બાળપણમાં તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેમના પિતા કંઈ કામ ન હતા કરતા. ઘરમાં ભોજનની પણ મુશ્કેલી હતી. તે ભિક્ષા યાપન કરી જીવન પસાર કરતા હતા. 

એક સમય હતો જ્યારે તે 10 વર્ષના હતા તો તે બાલાજી દરબાર ગયા. તેમની અરજી પણ વિચિત્ર હતી. તેમની અરજી હતી કે તેમને દાટેલું ધન મળી જાય. ત્યાં બાલાજી દરબારમાં દાદા ગુરૂજી મહારાજ બેઠા હતા. 

દરબારમાં અરજી સ્વીકારાઈ? 
ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાલાજી દરબારમાં જઈને દાદા ગુરૂજી મહારાજને કહ્યું, "મેં સાંભળ્યું છે તમે મનની વાત વાંચી લો છો, તો પહેલા જણાવો કે મારા મનમાં શું છે. મને કંઈક જોઈએ છે." 

તેના પર દાદા ગુરૂજી મહારાજ હસ્યા. તેમણે કંઈ કહ્યું નહીં અને ન કોઈ પર્ચો બતાવ્યો. તેમણે 10 વર્ષના ધીરેન્દ્ર શાસ્ત્રીનો હાથ પકડ્યો અને શંકરજીના મંદિરના મંદિર લઈ ગયા. ત્યાં તેમણે મંદિરના આગળ ઉભા થઈને કહ્યું, "જા આજથી આ તારૂ થઈ ગયુ અને આ તારૂ થઈ ગયું."

સંકળાયેલા મુદ્દાઓ

Application Bageshwar Dham Dhirendra Shastris disclosed Bageshwar Dham
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ