નાણામંત્રી નિર્મલા સીતારમણ શું તમામ બેંકોના હિતમાં પોતાના બજેટમાં ‘બેડ બેન્ક’ બનાવવાનો નિર્ણય કરવા જઈ રહી છે? કેટલુંક એવું ડેવલોપમેન્ટ જોવા મળી રહ્યું છે કે બજારમાં આને જૂના આઈડિયાની અટકણો તેજ થઈ રહી છે.
બેડ બેંકની સ્થાપના ખાનગી ક્ષેત્રની આગેવાનીમાં થાય
બેડ બેંક બનાવવા માટે અનેક સાવધાની વર્તવાની જરુર હોય છે
સરકાર ઘણા સમયથી બેડ બેંકના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.
બેડ બેંકની સ્થાપના ખાનગી ક્ષેત્રની આગેવાનીમાં થાય
મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમુર્તિ સુબ્રમણ્યને આર્થિક સમીક્ષા રજુ કર્યા બાદ મીડિયાકર્મીઓ સાથે વાત કરતા કહ્યું કે બેડ બેંકના આઈડિયામાં કંઈક દમ છે. તેમણે કહ્યું કે બેડ બેંક બનાવવા માટે અનેક સાવધાની વર્તવાની જરુર હોય છે. તેવામાં બેડ બેંકની સ્થાપના ખાનગી ક્ષેત્રની આગેવાનીમાં થાય. જેનાથી ઉત્પાદકતા વધશે. તેમણે કહ્યું કે બેડ બેંકના ગઠનથી એનપીએના એકીકરણમાં મદદ મળશે. જરૂરી છે કે બેડ બેંકનું ક્રિયાન્વયન ખાનગી ક્ષેત્રમાં કરવાનો વિચાર છે. આનાથી નિર્ણયની પ્રક્રિયા ઝડપી બનશે.
...તો ગ્રોસ એનપીએ રેશિયો 14. 8 ટકા થઈ શકે
આરબીઆઈએ સપ્ટેમ્બર 2020થી સપ્ટેમ્બર 2021ના લેટેસ્ટ ફાઈનાન્સિયલ સ્ટેબિસિટી રિપોર્ટમાં તમામ કમર્શિયલ બેંકોના જીએનપીએ રેશિયોના 7.5 ટકાથી વધીને 13.5 ટકા થવાની આશા દર્શાવી હતી, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો માક્રોઈકોનોમિક એન્વાયરમેન્ટ વધારે બગડીને ગંભીર દબાણવાળા પરિદ્રશ્યમાં પરિવર્તિત થાય છે તો ગ્રોસ એનપીએ રેશિયો 14. 8 ટકા થઈ શકે છે.
હાલમાં રહેલા આર્થિક દબાણોના પરિક્ષણ કરવાથી જાણવા મળે
એનએસઆરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હાલમાં રહેલા આર્થિક દબાણોના પરિક્ષણ કરવાથી જાણવા મળે જોકે ચાર બૈંક સપ્ટેમ્બર 2021 સુધી મિનિમમ કેપિટલ લેવલ પુરુ કરવામાં નિષ્ફળ થઈ શકે છે. સાથે જો આર્થિક દબાણ બનેલું રહેશે તો સંખ્યા વધીને 9 થઈ જશે.
સરકાર ઘણા સમયથી બેડ બેંકના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે
મનાઈ રહ્યું છે કે કોરોના19ના કારણે રિઝર્વ બેંકે જો નિયામકીય છુટ આપી છે તેને પાછી લીધા બાદ બેંકોના ડૂબેલા દેવામાં મોટો વધારો થઈ શકે છે. સરકાર ઘણા સમયથી બેડ બેંકના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. નાણા મંત્રી સોમવારે એટલે કે આજે બજેટ 2021-22માં આને લઈને કેટલાક પગલાની જાહેરાત કરી શકે છે.
પહેલા આ મહિને રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સંકેત આપ્યા હતા
આર્થિક સમીક્ષા 2017માં સૌથી પહેલા આના પર વિચાર કરવામાં આવ્યો હતો. આની પહેલા આ મહિને રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સંકેત આપ્યા હતા કે કેન્દ્રીય બેંક સંભવતઃ બેડ બેંકના પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે. બેડ બેંકનો મતલબ એવી નાણાકિય સંસ્થાનોથી છે. જે ઋણદાતાઓના ડૂબેલા દેવાને લેશે અને સમાધાની પ્રક્રિયા આગળ વધારશે. ઋણદાતાઓ ઘણા સમયથી બેડ બેંકની સ્થાપનાની માંગ કરી રહ્યા છે. જેનાથી તેમના ડૂબેલા દેવાના દબાણને ઓછું કરી શકાય.