અમેરિકન કંપની હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડાને કારણે વિપક્ષે ગત રોજ દેશની સંસદમાં હંગામો મચાવ્યો હતો. ઘટતા શૅરના કારણે અદાણી ગ્રુપની માર્કેટ મૂડીમાં ભારે ઘટાડો થયો છે. અદાણી મામલે હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે. નાણામંત્રીએ કહ્યું છે કે ભારતની સ્થિતિ પર કોઈ પણ પ્રકારની અસર થઈ નથી.
It'll be regulators who'll do their job. RBI made statement, prior to that banks, LIC came out & told about their exposure (to Adani group). Regulators independent of govt, they're left to themselves to do what is appropriate so market is well regulated: N Sitharaman on Adani row pic.twitter.com/9S4oc7Xoc7
FPO તો રોજ આવતા-જતા રહે છે
નાણામંત્રીએ કહ્યું, "છેલ્લાં બે દિવસમાં આપણો વિદેશી હૂંડિયામણનો ભંડાર વધીને 80 લાખ ડોલર થયો છે. FPO આવતા-જતા રહે છે પરંતુ અદાણીના કેસથી ભારતની છાપ અને સ્થિતિને કોઈ અસર થઈ નથી. તેમણે કહ્યું હતું કે નિયમનકારો તેમનું કામ કરશે. રિઝર્વ બેંકે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે એફપીઓ અગાઉ પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
અદાણી મામલે રિઝર્વ બેન્ક એક્શનમાં
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રોકાણકારોની ચિંતા દૂર કરતાં કહ્યું હતું કે, દેશની બેન્કિંગ સિસ્ટમ ફ્લેક્સિબલ અને સ્ટેબલ રહે છે. આરબીઆઈએ કહ્યું કે તે સતર્ક છે અને દેશના બેંકિંગ ક્ષેત્રની સ્થિરતા પર નજર રાખી રહી છે. નિયમનકાર અને નિરીક્ષક તરીકે આરબીઆઈ નાણાકીય સ્થિરતા જાળવવાના હેતુથી બેન્કિંગ ક્ષેત્ર અને વ્યક્તિગત બેન્કો પર સતત નજર રાખી છે.
So the regulators will do their jobs. Actually, for keeping the market regulated well in prime condition, the SEBI is the authority and it has the wherewithal to keep that prime condition intact: Union Finance min N Sitharaman on Adani row & issue of Corporate Governance pic.twitter.com/tOWOczR8hV
અદાણીએ 20,000 કરોડનો FPO પાછો ખેંચ્યો
ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપે બુધવારે પોતાની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝની 20,000 કરોડ રૂપિયાની ફોલો-ઓન પબ્લિક ઓફર (એફપીઓ) પાછી ખેંચી લીધી છે.
હિંડનબર્ગનો આરોપ
હિંડનબર્ગનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ આવ્યો હતો. ત્યાર બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ઘટાડો થવા લાગ્યો હતો. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે અદાણી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓ 85 ટકા ઓવરવેલ્યુડ છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપ દાયકાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને મની લોન્ડરિંગમાં રોકાયેલું છે.
FPOs come and get out. These fluctuations are there in every market. But the fact that we have had 8 Billion come in these last few days proves that the perception about India and its inherent strength is intact: Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/Bhf6amT5Iu