પગમાંથી ખરાબ વાસ આવવી, કપડા પર તેલના ડાઘ પડવા, ઘરમાં કીડીઓનો ઉપદ્રવ વધી જવો જેવા અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમેને આ પાઉડર મદદ કરશે
જી હા, બેબી પાઉડરથી તમે તમામ સમસ્યાઓથી છુટકારો મેળવી શકશો. આ સાથે જ તમે જુના દાગીના સાફ કરવામાં પણ આ બેબી પાઉડરનો ઉપયોગ કરી શકો છો. જુઓ કઈ કઈ સમસ્યાઓમાંથી છૂટકારો અપાવશે બેબી પાઉડર
- શું તમારા મોંઘા ડ્રેસમાં તેલનો ડાઘ લાગી ગયો છે. તો તમે એ તેલના ડાઘ પર બેબી પાઉડર છાંટીને થોડીવાર માટે રહેવા દો. ત્યારે બાદ તે ડ્રેસને ધોય નાખવાથી ડાઘ દૂર થઈ જશે.
- જો ઘરમાં કીડીઓ ઉપદ્રવ વધી ગયો હોય તો ઘરના ખુણાઓમાં અને જે જગ્યા પર વધારે કીડીઓ થાય છે ત્યાં બેબી પાઉડર છાંટવાથી કીડીઓ ગાયબ થઇ જશે.
- પગમાં પરસેવાની દુર્ગધ આવતી હોય તો તમારા જૂતામાં થોડોક બેબી પાઉડર લગાવો. જેથી તમારા પગમાંથી વાસ નહિં આવે.
- જો તમારા ગળામાં પહેરવામાં આવતી ચેનમાં ગાંઠ પડી ગઇ હોય તો તેના પર બેબી પાઉડર લગાવવાથી ફટાફટ ગાંઠ છૂટી થઇ જશે.
- અણગમતા વાળને દુર કરવા માટે ઘણીવાર મહિલાઓ વેક્સ કરે છે. પરંતુ વેક્સ કરાવતા પહેલા પાઉડર લગાવવાથી ખેંચાય ઓછુ છે આ સિવાય વેક્સ કર્યા પછી પણ પાઉડર લગાવવાથી રાહત મળી શકે છે.