પાટીદાર આસ્થા કેન્દ્ર ઊંઝા ઉમિયામાતા સંસ્થાની કારોબારી બેઠક મળી હતી જેમાં નવા પ્રમુખ તરીકે બાબુ જમના પટેલની વરણી કરવામાં આવી, 100 કારોબારી સભ્યોએ વોક આઉટ કરી વિરોધ કર્યો
ઊંઝા ઉમિયાધામને લઇ મોટા સમાચાર
નવા પ્રમુખ અને મંત્રીની વરણી
બાબુ જમના પટેલ બન્યા નવા પ્રમુખ
કડવા પાટીદાર સમાજ માટે આસ્થાનું કેન્દ્ર એવા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ અને મંત્રીની વરણી કરવામાં આવી છે. જેમાં બાબુ જમના પટેલની ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. બાબુ જમના પટેલ દસક્રોઇ બેઠકથી ભાજપના ધારાસભ્ય છે આ પહેલા મણી પટેલ પ્રમુખનો કારોભાર સંભાળી રહ્યા હતા. ઊંઝા ઉમિયા માતા સંસ્થાન ખુબ મોટું આસ્થાનું કેન્દ્ર છે સાથે સાથે રાજકીય રીતે પણ ખુબ મહત્વનું સ્થાન ધરાવે છે ત્યારે ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલને સંસ્થાની કમાન સોંપવામાં આવી છે.
31 કરોડનું દાન આપી પ્રમુખની દાવેદારી નોંધાવી હતી
ઉંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉંઝા ઉમિયા ધામ કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા છે. આજે સંસ્થાનના ઉમેશ્વર હોલ ખાતે બપોરે 2 વાગ્યે કોરાબારીની બેઠક મળી હતી જેમાં ભાજપ MLA બાબુ જમના પટેલે પ્રમુખ પદ માટે દાવો કર્યો હતો. સંસ્થામાં 31 કરોડનું દાન આપી પ્રમુખ બનવા માટે પોતાની દાવેદારી નોંધવી હતી જે બાદ બેઠકમાં સર્વાનુમતે તેમની વરણી પર મહોર મારી દેવામાં આવી છે.
દિલીપ પટેલને મંત્રી પદે યથાવત રખાયા
મણીભાઇ પટેલ લાંબા સમયથી પ્રમુખ પદે યથાવત હતા જેથી વધુ કાર્યકાળ થતા મણીભાઇ પટેલને બદલવાની ચર્ચા થઈ રહી હતી આથી નવા પ્રમુખ નીમવામાં આવ્યા છે.દિલીપ પટેલ મંત્રી તરીકે કાર્યરત હતા જેમણે આ વખત પણ યથાવત રાખવામાં આવ્યા છે.
પ્રમુખ પદની ચૂંટણી બાદ કારોબારી સભામાં હોબાળો
100 કારોબારી સભ્યોએ વોક આઉટ કર્યો
પ્રમુખ પદના અન્ય ઉમેદવારોએ સભાનો વિરોધ કર્યો
ખોટી રીતે બાબુ જમનાને પ્રમુખ બનાવ્યા હોવાના આક્ષેપો