હાઝીર હો.... અયોધ્યામાં બાબરી મસ્જિદના વિવાદીત માળખાને ધ્વસ્ત કરવાના મામલે વિશેષ અદાલતે વરિષ્ઠ નેતાઓને 30 મેના રોજ કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યા છે. આમ ભાજપના વરિષ્ઠ નેતાઓ જેવા કે લાલકૃષ્ણ અડવાણી મુરલી મનોહર જોશી અને ઉમા ભારતીની મુશ્કેલીઓ વધી.
બાબરી મસ્જિદ કેસની સુનાવણી કરતી વિશેષ અદાલતે ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી મુરલી મનોહર જોશી ઉમા ભારતી અને અન્યને કોર્ટ સમક્ષ 30 મેના હાજર થવા કહ્યું છે. કોર્ટ ઈચ્છે છે કે આરોપ નક્કી થવા સુધી ત્રણેય કોર્ટમાં ઉપસ્થિત રહે. આપને જણાવી દઈએ કે લખનઉની વિશેષ CBI કોર્ટ પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી પૂર્વ કેદ્રીય મંત્રી મુરલી મનોહર જોશી કેબિનેટ મંત્રી ઉમા ભારતી સાંસદ વિનય કટિયાર સાધ્વી ઋતંભરા અને વિષ્ણુ હરિ ડાલમિયા વિરૂદ્ધ 1992માં અયોધ્યામાં વિવાદીત માળખાને ધ્વસ્ત કરવાના ષડયંત્રને લઈને આરોપ નક્કી કરશે.
વિશેષ કોર્ટે મહંત નૃત્ય ગોપાલ દાસ મહંત રામ વિલાસ વેદાન્તી વૈકુંઠ લાલ શર્મા ઉર્ફ પ્રેમજી ચંપત રાય બંસલ ધર્મદાસ અને ડૉ.સતીશ પ્રધાન વિરૂદ્ધ આરોપ ન[ાૃ કરવાની તારીખ 25 મે રાખી હતી... આ પહેલા મંત્રીઓ બુધવારે કોર્ટમાં રજૂ થયા અને તેમને જામિન મળી ગયા.. આપને જણાવી દઈએ કે અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના વિવાદીત માળખાને પાડયા બાદ બે FIR દાખલ કરવામા આવી હતી..
શું છે મામલો?
1992માં બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવાને લઈને બે મામલા દાખલ થયા હતા. એક મામલો કાર સેવકો વિરૂદ્ધ હતો જ્યારે બીજો મામલો મંચ પર ઉપસ્થિત નેતાઓ વિરૂદ્ધ હતો. પહેલા કેસમાં કોર્ટના ચીફ જસ્ટીસ પાસેથી મંજૂરી લઈને ટ્રાયલ માટે લખનઉમાં બે સ્પેશિયલ કોર્ટ બનાવવામા આવી જ્યારે બીજો કેસ રાયબરેલીમાં ચાલ્યો. પહેલા કેસની તપાસ CBIને અપાઈ અને બીજા કેસની તપાસ યુપી CIDએ કરી હતી. બીજા કેસ અંતર્ગત રાયબરેલીમાં ચાલી રહેલા મામલામાં નેતાઓ પર અપરાધિક ષડયંત્રની ધારા જોડવા માટે કોર્ટમાં અરજી લગાવઈ.. અને કોર્ટે તેની મંજૂરી આપી.
હાઈકોર્ટમાં અરજી દાખલ કરી કહેવામા આવ્યું કે રાયબરેલી કેસને પણ લખનઉમાં લાવવામા આવે.. હાઈકોર્ટે મનાઈ કરી દીધી અને કહ્યું કે આ કેસ ટ્રાન્સફર ના થઈ શકે કારણકે નિયમ અંતર્ગત કેસ નંબર 2 એટલે કે કેસ-198 માટે ચીફ જસ્ટીસની મંજૂરી નહોતી લેવામાં આવી. ત્યારબાદ રાયબરેલીમાં ચાલતા મામલામાં અડવાણી સહિત અન્ય નેતાઓ પર ષડયંત્રનો આરોપ હટી ગયો. ઈલાહાબાદ હાઈકોર્ટે 20 મે 2010ના આદેશમાં ટ્રાયલ કોર્ટના નિર્ણયને સાચો ઠેરવ્યો. પડકાર આપવામા આઠ મહિના મોડું કરાયું. સુપ્રીમ કોર્ટે 19 એપ્રીલે CBI કોર્ટને કહ્યું હતું કે તે મામલામાં આરોપીઓ વિરૂદ્ધ ષડયંત્રનો આરોપ પણ જોડે. હાલ તો આ મોટા નેતાઓ પર કોર્ટની ગાજ પડી છે અને કોર્ટમાં રજૂ થવા આદેશ આપ્યો છે. કોર્ટ શું નિર્ણય સંભળાવે છે તે તો સમય આવ્યે જ ખબર પડશે.