પાકિસ્તાનનાં ફાઇનલમાં પહોંચ્યા બાદ બાબર આઝમે મિયાંદાદની વાત કરી જેમણે ભારત સામે 1986માં છેલ્લા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો.
પાકિસ્તાન ફૉનકહ્યું એશિયા કપના ફાઇનલમાં
બાબર આઝમી કહ્યું કે તેમને ભારત સામે મિયાંદાદનાં છગ્ગાની યાદ આવી ગઈ
અફઘાનિસ્તાની બોલર્સનાં બાબરે કર્યા વખાણ
પાકિસ્તાન ફૉનકહ્યું એશિયા કપના ફાઇનલમાં
અફઘાનિસ્તાન સામ એશિયા કપ ટી20 ટુર્નામેન્ટનાં સુપર 4 ચરણમાં એક વિકેટની રોમાંચક જીત બાદ પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમે બુધવારે કહ્યું કે 10 માં ક્રમનાં બેટ્સમેન નસીમ શાહ પર તેમને ભરોસો હતો. પાકિસ્તાનને 20 મી ઓવરમાં જીત માટે 11 રનની જરૂર હતી અને ક્રિઝ પર તેમની છેલ્લી જોડી હતી. નસીમે ફઝલહક ફારુકીનાં શરૂઆતનાં બે બોલ પર સતત બે છક્કા ફટકારીને પાકિસ્તાનને યાદગાર જીત અપાવી.
બાબરનું નિવેદન
મેચ બાદ બાબરે પુરસ્કાર સમારોહમઅઆ કહ્યું કે સાચું કહું તો ડ્રેસિંગ રૂમમાં ઘણો તનાવપૂર્ણ માહોલ હતો. અમે ગત અમુક મેચોની જેમ આ મેચમાં પણ ભાગીદારી ન બનાવી શક્યા. નસીમે જોકે જે પ્રકારે મેચ પૂરી કરી છે, ત્યાર બાદ તમે સકારાત્મક વાતાવરણ અનુભવી શકો છો.
ભારત વિશે જુઓ શું કહ્યું
તેમણે નસીમનાં છગ્ગાની તુલના જાવેદ મિયાંદાદનાં આ જ મેદાનમાં ભારત સામે 1986માં છેલ્લા બોલ પર લગાવેલા છગ્ગા સાથે કરતાં કહ્યું કે મેં નસીમને આ પ્રકારે બેટિંગ કરતાં જોયા છે, એટલા માટે મને થોડો વિશ્વાસ હતો. તેણે માંએ મિયાંદાદનાં છગ્ગાની યાદ અપાવી દીધી. તેમણે અફઘાનિસ્તાનની બોલિંગના વખાણ કરતાં કહ્યું કે રાશિદ ખાન, મુજીબ ઉર રાહમાન અને મોહમ્મદ નબી સર્વશ્રેષ્ઠ બોલર્સ છે. એટલા માટે તમારે તેમની સામે ભાગીદારીનું જોખમ લેવાની જરૂર હોય છે. અમારી યોજના મેચને છેલ્લે સુધી લઈ જવાની હતી.