એલોપેથીની દવાને લઈને બેજવાબદારી ભર્યા નિવેદન આપવા બદલ રામદેવની સામે એપિડેમિક ડિસિઝ એક્ટ હેઠળ કાર્યવાહી માગ ઉઠી
બાબા રામદેવના બેજવાબદારી ભર્યા મામલો
IMA દરેક રાજ્યમાં ફરિયાદ કરશે: ડો.વસંત પટેલ
એપેડમી એક્ટ અન્વયે કાર્યવાહી કરવામાં આવે : ડો.વસંત પટેલ
બેજવાબદારી ભર્યા નિવેદન આપવા બદલ રામદેવની સામે એપિડેમિક ડિસિઝ એક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઈએ એવી માંગ ડૉ.વસંત પટેલે કરી છે. બાબા રામદેવ દ્વારા એલોપેથીની દવાને લઈને કરવામાં આવેલી ટીપ્પણી મામલે ડોક્ટરોમાં બાબા રામદેવના નિવેદનને લઈ રોષ જોવા મળી રહ્યો છે.
IMA દરેક રાજ્યમાં ફરિયાદ કરશે: ડો.વસંત પટેલ
સિનિયર ડોક્ટર વસંત પટેલે જણાવ્યું કે સરકાર બાબ રામદેવ સામે કેસ નહી કરે તો અમે કેસ કરીશું, બાબાએ એલોપેથીની દવા વિરુદ્ધ લોકોને ભ્રમિત કર્યા છે, સરકારની કામગીરી વિરુદ્ધ લોકોને ભડકાવ્યા છે, એપેડમિક એક્ટ એન્વયે બાબા રામદેવ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ, વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભગવો ધારણ કરનાર પર લોકો વિશ્વાસ મુકે છે, બાબા રામદેવના આવા નિવેદનો દેશના શિક્ષિત સમાજ માટે જોખમરુપ છે અને ગરીબોને તેમના આ નિવેદનથી ખૂબ મોટું નુકશાન થવાનું છે.
એપેડમી એક્ટ અન્વયે કાર્યવાહી કરવામાં આવે : ડો.વસંત પટેલ
મહત્વનું છે કે ગઈ કાલે જ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ.હર્ષવર્ધન કે જેઓ પોતે આધુનિક મેડિકલ વિજ્ઞાનના ડૉક્ટર અને હેલ્થ મિનિસ્ટ્રીના પ્રમુખ પદ પર છે, ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલય બાબા રામદેવના આરોપો અને પડકારોનો સ્વીકારે નહિતર આધુનિક મેડિકલ સુવિધાને વિખેરી નાખે. એસોશિએશને મંત્રાલયને બાબા રામદેવની સામે એપિડેમિક ડિસિઝ એક્ટની હેઠળ કાર્યવાહી કરવાની માગ કરી છે.
સરકાર કેસ નહીં કરે તો અમે કેસ કરીશું : ડો.વસંત પટેલ
એસોસિએશને એવો પણ આક્ષેપ કર્યો કે બાબા રામદેવ પરિસ્થિતિનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને તેઓ સરવાળે લોકોમાં ભય અને નિરાશા સર્જી રહ્યાં છે.એલોપેથી દવા મામલે બાબા રામદેવ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીને લઈ ડોક્ટર વસંત પટેલે વધુમાં જણાવ્યું હતું કે સરકાર બાબા રામદેવ વિરુદ્ધ કેસ નહી કરે તો, IMA ફરિયાદ કરશે, IMA દરેક રાજ્યોમાં બાબારામ દેવ સામે ફરિયાદ દાખલ કરશે.