બાબા રામદેવ ભારતીય જનતા પાર્ટીના નેતા રાજ્યવર્ધન સિંહ રાઠોડના નામાંકનમાં સામેલ થવા પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી રાઠોડે રાજસ્થાનની જયપુર ગ્રામીણ સીટથી પોતાનું નામાંકન દાખલ કર્યું છે. એમનું સમર્થન કરવા જ બાબ રામદેવ જયપુર પહોંચ્યા હતા. રાજ્યવર્ધન સિંહ જ્યારે નામાંકન દાખલ કરવા રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં પહોંચ્યા તો એમની સાથે હાજર બાબા રામદેવે યોગાસન પણ કર્યા.
જયપુર: યોગ ગુરુ બાબા રામદેવ આમ તો ટીવી ચેનલોથી લઇને ઇન્ટરવ્યૂ સુધીમાં પોતાના યોગની કળાને પ્રદર્શિત કરતા રહે છે, પરંતુ આ વખતે એમને પોતાનું હુનર દેખાડવા માટે એક અલગ જ જગ્યા પસંદ કરી છે. ચૂંટણી માહોલનો બાબા રામદેવ પર એટલી અસર જોવા મળી છે કે એમને એક ઉમેદવારના નામાંકન દરમિયાન રિટર્નિંગ ઓફિસરના રૂમમાં જ અનુલોમ વિલોમ કરવાનું શરૂ કરી દીધું.
વાસ્તવમાં બાબા રામદેવ મંગળવારે ભારતીય જનતા પાર્ટીના નેતા રાજ્યવર્ધન સિંહ રાઠોડના નામાંકનમાં સામેલ થવા પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી રાઠોડે રાજસ્થાનની જયપુર ગ્રામીણ સીટથી પોતાનું નામાંકન દાખલ કર્યું છે. એમને સમર્થન કરવા બાબા રામદેવ પર પહોંચ્યા હતા.
બાબા રામદેવ તમામ લોકો અને અધિકારીઓની સામે રિટર્નિંગ ઓફિસરના રૂમમાં જ અનુલોમ વિલોમ કરવા લાગ્યા. એ જોઇને ત્યાંનો માહોલ એકદમ બદલાઇ ગયો.
બાબા રામદેવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જોરદાર વખાણ કર્યા. એમને કહ્યું કે દુનિયાની દુશ્મન તાકાતા મોદી જી ને જોવા ઇચ્છતી નથી.