યોગ ગુરુ બાબા રામદેવે આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કોરોનિલ વિવાદ અંગે સ્પષ્ટતા કરી હતી. બાબા રામદેવે કહ્યું કે આયુષ મંત્રાલયે કોરોનિલના કાર્ય અંગેના અમારા પ્રયત્નોની પ્રશંસા કરી છે. વળી બાબા રામદેવે કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલ અને નોંધણી પ્રક્રિયા બંનેમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.
કોરોનિલ વિવાદ અંગે બાબા રામદેવની સ્પષ્ટતા
અમે ક્લિનિકલ ટ્રાયલના નિયમોનું પાલન કર્યું
આયુષ મંત્રાલયે પ્રયાસોની પ્રશંસા કરી - રામદેવ
કોરોનિલ 23 જૂને લોન્ચ કરવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આના પરિણામ રૂપે 7 દિવસમાં 100 ટકા રિકવરી થશે. કોરોનાની દવા તરીકે લાવવામાં આવેલ કોરોનિલ પર તરત જ વિવાદ થયો હતો. આ વિવાદ પર બાબા રામદેવે આજે કહ્યું, 'આયુષ મંત્રાલયે કહ્યું છે કે પતંજલિએ કોવિડ -19 ના મેનેજમેન્ટ માટે પૂરતું કામ કર્યુ છે. એટલે કે તેમણે સારી પહેલ કરી છે. પતંજલિએ યોગ્ય દિશામાં કામ કરવાનું શરૂ કર્યું છે.
બાબા રામદેવે કહ્યું કે તેણે કોરોના પર ક્લિનિકલ કંટ્રોલનો પ્રયાસ કર્યો છે. ક્લિનિકલ ટ્રાયલનાં પેરામિટર હેઠળ સંશોધન શરુ કર્યુ છે. હજી સુધી કોરોના ઉપર ક્લિનિકલ ટ્રાયલ થયું છે. આ સિવાય અમે 10 થી વધુ રોગો પર ટ્રાયલ કરી રહ્યા છીએ અને તેમાં ત્રણ સ્તરને પાર કરી ચૂક્યા છીએ. આમાં હાયપરટેન્શન, દમ, હાર્ટ, ચિકનગુનિયા જેવા રોગો શામેલ છે. જેના પર અમે પરીક્ષણ કરી રહ્યા છીએ.
આતંકવાદીઓની જેમ અમારી સામે એફઆઈઆર
બાબા રામદેવે પણ આ વિવાદ અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, "લોકો એમ કહેતા હતા છે કે પતંજલિએ પલ્ટી મારી, કોઈ સંશોધન કર્યું નહીં અને કેટલાક લોકોએ મારી જાતિ, ધર્મ, સંન્યાસને લઈને જુદી જુદી રીતે ગંદું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો. એવું લાગે છે કે ભારતની અંદર આયુર્વેદનું કામ કરવું એ એક ગુનો છે. દેશમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી. જાણે કે કોઈ દેશદ્રોહી અને આતંકવાદી વિરુદ્ધ એફઆઈઆર નાંધાતી હોય તેમ.
બાબા રામદેવે કોરોનિલ પરના વિરોધી અવાજોને જવાબ આપતા કહ્યું કે, તે એક સામ્રાજ્યવાદી વિચાર છે કે એક કેસરી પહેરનાર સંશોધન કેવી રીતે કરી શકે છે. આ ટ્રાયલથી મોર્ડન મેડિકલ સાયન્સમાં તોફાન આવ્યું છે. બાબાએ કહ્યું કે અમે આ સંશોધનને હજું વધારે આગળ લઈ જઈશું.