સુશાંત સિંહ રાજપૂતના નિધનને 2 મહિનાથી વધારેનો સમય થઇ ગયો છે અને હજુ સુધી લોકો સ્વિકારી નથી શક્યા કે સુશાંત આપણી વચ્ચે નથી રહ્યો. સુશાંત માટે સેલિબ્રિટીઝ પણ ન્યાયની માગ કરી રહ્યાં છે ત્યારે યોગગુરુ બાબા રામદેવ પણ હવે ન્યાયની જંગમાં જોડાઇ ગયા છે. તેમણે સુશાંત માટે પ્રાર્થના કરી અને ન્યાય માટે યજ્ઞ કર્યો.
સુશાંતને ન્યાય મળે તેવી બાબા રામદેવે કરી પ્રાર્થના
પતંજલિમાં યોગગુરુ રામદેવે યજ્ઞ કર્યો
બોલિવુુડ સેલેબ્સ પણ સુશાંત માટે કરી રહ્યાં છે પ્રાર્થના
આ વાતની જાણકારી રામદેવ બાબાએ પોતે આપી હતી, તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, તેમણે સુશાંતના પરિવાર સાથે વાત કરી અને તેમનુ દર્દ સાંભળ્યું તો મારી આત્મા ધ્રુજી ઉઠી. બાદમાં રામદેવ બાબાએ પતંજલિમાં સુશાંત માટે પ્રાર્થના કરી અને યજ્ઞ કર્યો.
બાબા રામદેવ સિવાય બોલિવૂડના કેટલાક સેલિબ્રિટીઝે શનિવારે સુશાંત માટે પ્રાર્થના કરી. સુશાંતની બહેન શ્વેતાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે અને પરિવાર સુશાંત માટે પ્રાર્થના કરે છે. અંકિતા લોખંડેએ પણ ઇન્સ્ટા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે તે પણ આ પ્રાર્થનામાં સામેલ થવાની છે. તે સિવાય કૃતિ સેનન અને એકતા કપૂરે પણ સુશાંત માટે પ્રાર્થના કરી હતી.
તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ તેમના મુંબઇ સ્થિત ઘરે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. હવે મુંબઇ પોલિસ આ કેસની તપાસ કરી રહી છે અને સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાવી છે. તે સિવાય બોલિવૂડ સેલેબ્સ પણ સુશાંત માટે ન્યાયની માંગણી કરી રહ્યાં છે.