યોગ ગુરુ બાબા રામદેવે કોરોના વાયરસના સંક્રમણને પહોંચી વળવા માટે એક નવી દવા લોન્ચ કરી છે.
ભારતમાં આયુર્વેદની 30 હજાર કરોડ રુપિયાની અર્થવ્યવસ્થા છે
કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર
પતંજલિનો દાવો છે કે 70 ટકા દર્દી 3 દિવસમાં દવાના ઉપયોગથી સાજા થયા
કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ હાજર
શુક્રવારે દિલ્હી સ્થિત કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં એક કાર્યક્રમ દરમિયાન રામદેવે આનું એલાન કર્યુ. તેમના કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ હાજર હતા. બાબા રામદેવે જાણકારી આપી કે પતંજલિના કોરોનિલ ટેબલેટથી હવે કોવિડની સારવાર થશે. તેમણે દાવો કર્યો કે આયુષ મંત્રાલયએ કોરોનિલ ટેબ્લેટને સહાયક દવા તરીકે સ્વીકારી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પતંજલિએ કોરોનિલ સાથે જોડાયેલી રિસર્ચ બુક પણ જારી કરી છે.
Delhi: Yog Guru Ramdev releases scientific research paper on 'the first evidence-based medicine for #COVID19 by Patanjali'.
Union Health Minister Dr Harsh Vardhan and Union Minister Nitin Gadkari are also present at the event. pic.twitter.com/8Uiy0p6d8d
પતંજલિનો દાવો છે કે 70 ટકા દર્દી 3 દિવસમાં દવાના ઉપયોગથી સાજા થયા
ઉલ્લેખનીય છે કે આ પહેલા કોરોનિલ દવાને ફક્ત ઈમ્યૂનિટી બૂસ્ટર કહેવામાં આવી હતી. પતંજલિનો દાવો છે કે 70 ટકા દર્દી 3 દિવસમાં દવાના ઉપયોગથી સાજા થઈ ગયા છે. રામદેવે કહ્યું કે આજે ઐતિહાસિક દિવસ છે. એવિડેન્સ મેડિસિન તરીકે એવિડન્સ બેસ્ડ રિસર્ચ છે. રામદેવે કહ્યુ કે આ દવા WHO-GMP સર્ટિફાઈડ છે.
Delhi: Yog Guru Ramdev releases 'the first evidence-based medicine for #COVID19 by Patanjali'.
Union Health Minister Dr Harsh Vardhan and Union Minister Nitin Gadkari also present at the event. pic.twitter.com/o1uwSAKK82
રામદેવે કહ્યુ કે મેડિકલની દુનિયામાં ભારત પૂરી દુનિયામાં લીડ કરશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે મને ખુશી છે કે આયુર્વેદમાં રિસર્ચ કરવા માટે બાબાજીએ રિસર્ચ સંસ્થા બનાવી છે. આયુર્વેદ પર પહેલા પણ ભરોસો હતો. પરંતુ હવે રિસર્ચ કરવામાં આવ્યું છે. લેબમાં તેની પ્રમાણિકતા મળી ગઈ છે.
આયુર્વેદનું જે કોઈ સર્ટિફિકેશનની જરુર નથી- સ્વાસ્થ્ય મંત્રી
કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે મોર્ડન અને સાયન્ટિફિક રીતે આયુર્વેદને સ્થાપિત કરવા માટે યજ્ઞમાં જેટલી આહુતિ આપવામાં આવે તેટલુ સારુ થશે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે કોરોના કાળમાં આયુષ મંત્રાલયે 140 સ્થાનો પર સ્ટડી કરી. મે તમામના પરિણામ જોયા છે. તમામ પરિણામો સકારાત્મક નજરે પડ્યા છે. લોકોના સ્વસ્થ્ય રાખવાની દિશામાં આયુર્વેદનું જે યોગદાન છે તેને કોઈ સર્ટિફિકેશનની જરુર નથી.
ભારતમાં આયુર્વેદની 30 હજાર કરોડ રુપિયાની અર્થવ્યવસ્થા છે
તેમણે કહ્યું આર્યુર્વેદની ઈકોનોમી વધવી એ વાતના સંકેત છે કે ભારત અને દુનિયાના અન્ય દેશોએ આને સ્વીકાર કરી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ભારતમાં આયુર્વેદની 30 હજાર કરોડ રુપિયાની અર્થવ્યવસ્થા છે. સત્તાવાર આંકડા અનુસાર કોવિડ પહેલા 15-20 ટકા વૃદ્ધિ થતી હતી. કોવિડ બાદ આ વૃદ્ધિ દર વધી 50-90 ટકા થઈ ગયો છે. આ એક સંકેત છે કે લોકોએ સ્વીકાર કરી લીધું છે કે નિકાસ અને એફડીઆઈમાં સુધારો થયો છે.