બાબા રામદેવની પતંજલિ ફુડ્સ કંપનીના ધી નું સેમ્પલ ભારતમાં ફેલ થાય છે જ્યારે ભારત બહાર અન્ય દેશમાં પાસ થાય છે. જે બાબતે બાબા રામદેવે અનેક પ્રશ્નનો ઉઠાવ્યા છે.
રામદેવ ચાર વર્ષમાં પાંચ આઈપીઓ લાવવાની કરી રહ્યા છે તૈયારી
પતંજલી વિરુધ્ધ ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે
બાબા રામદેવની આગેવાની હેઠળની પતંજલી ફુડ્સ હાલમાં શેરબજારમાં લીસ્ટેડ એકમાત્ર કંપની છે અને તે તેના રોકાણકારોને મોટો નફો કરી રહી છે. કંપનીએ કહ્યું કે પતંજલિ ફુડ્સ પછી અમારી ચાર કંપનીઓ- પતંજલિ આર્યુવેદ, પતંજલી વેલનેસ, પતંજલિ મેડીસીન અને પતંજલિ લાઈફ સ્ટાઈલને આઈપીઓ લાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
પતંજલિ ગ્રુપ ઓફ કંપનીઓના વિસ્તરણને લઈને મોટી જાહેરાત
યોગ ગુરુ સ્વામી રામદેવે શુક્રવારે પતંજલિ ગ્રુપ ઓફ કંપનીઓના વિસ્તરણને લઈને મોટી જાહેરાત કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં સ્વામી રામદેવે આગામી પાંચ વર્ષમાં ચાર આઈપીઓ લાવીને પતંજલિ ગ્રુપની પાંચ કંપનીઓને લીસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.
કંપનીએ કહ્યું કે પતંજલિ ફુડ્સ પછી અમે અમારી અન્ય ચાર કંપનીઓ- પતંજલિ આર્યુવેદ, પતંજલિ વેલનેસ, પતંજલિ મેડિસીન અને પતંજલી લાઈફ સ્ટાઈલનો આઈપીઓ લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં પતંજલિ ફુડ્સ ભારતીય શેરબજારમાં લિસ્ટેડ છે. આ કંપનીએ રુ.5 લાખ કરોડના બજાર મુલ્યના લક્ષ્યને હાંસલ કરવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે.
પતંજલિ વિરુધ્ધ ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે:બાબા રામદેવ
બાબા રામદેવે FSSAI પર મોટો આરોપ લગાવતા કહ્યુ કે પતંજલિનું ધી આખી દુનિયામાં વેચાય છે અને તેની ગુણવત્તા પર કોઈ સવાલ નથી. પરંતું ભારતમાં તે ટેસ્ટમાં નિષ્ફળ જાય છે. સ્વામી રામદેવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પતંજલિ વિરુધ્ધ ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે.
પતંજલિ ફુડ્સ રોકાણકારોને મોટો નફો કરી રહી છે
બાબા રામદેવની આગેવાની હેઠળની પતંજલિ ફુડ્સ હાલમાં શેરબજારમાં લિસ્ટેડ એકમાત્ર કંપની છે અને તે તેના રોકાણકારોને મોટો નફો કરી રહી છે. બાબા રામદેવની આગેવાની હેઠળની પતંજલિ આર્યુવેદ વર્ષ 2019 માં રુચી સોયાને રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ રુ. 4350 કરોડમાં ખરીદી હતી. આ કંપની પહેલાથી જ શેરબજારમાં લિસ્ટેડ હતી.
વર્ષ 2022 માં બાબા રામદેવે કંપનીનું નામ રુચી સોયાથી બદલીને પતંજલી ફુડ્સ કરી દીધું. પતંજલિ ફુડ્સના શેરની કિંમત સપ્તાહના દર અઠવાડીયે અને મહિને વધી રહી છે.