કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે, વાયરસનાં કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે ત્યારે કોરોના વાયરસની દવાને લઈને અનેક દાવાઓ થતા રહે છે. કોરોના વાયરસની વેક્સીનને આવતા તો હજુ સમય લાગવાનો છે ત્યારે ભારતના પ્રસિદ્ધ યોગગુરુ બાબા રામદેવે કોરોના સામે લડવામાં સક્ષમ જડીબુટ્ટીઓ પર દાવો કર્યો છે.
પતંજલિ પાસે છે કોરોનાની જડીબુટ્ટી !
ગિલોય અને અશ્વગંધા કોરોના સામે 100 ટકા સક્ષમ : બાબા રામદેવ
પતંજલિના વૈજ્ઞાનિકો ટૂંક સમય જ દુનિયા સામે તેને પ્રસ્તુત કરશે : યોગગુરુ રામદેવ
રામદેવ અને પતંજલિએ કોરોનાની દવાને લઈને મોટો દાવો કર્યો
કોરોના વાયરસની દવા શોધવા માટે દુનિયાની મોટી મોટી સંસ્થાઓ કામે લાગેલી છે. ઘણીવાર કોરોના વાયરસની દવા પર દાવાઓ પણ થયા છે તો નિષ્ણાતો કહી રહ્યા છે કે વેક્સીન આવતા હજુ સમય લાગશે ત્યારે યોગગુરુ બાબા રામદેવ અને પતંજલિએ કોરોનાની દવાને લઈને મોટો દાવો કર્યો છે.
ગિલોય અને અશ્વગંધાનો ઉપયોગ 100 ટકા સક્ષમ
બાબા રામદેવે કહ્યું કે કોરોના વાયરસ સામે Heart-leaved moonseed એટલે કે ગિલોય અને અશ્વગંધાનો ઉપયોગ 100 ટકા સક્ષમ છે. તેમણે કહ્યું કે આયુર્વેદમાં સારવાર કરવાની ક્ષમતા છે અને આ દવાઓ સંક્રમણનો ઈલાજ કરવામાં સંપૂર્ણપણે સક્ષમ છે.
ગિલોય અને અશ્વગંધા રોગિયોને આપવામાં આવ્યા
એક મીડિયા અહેવાલ અનુસાર બાબા રામદેવે કહ્યું કે જ્યારે કોરોનાવાયરસ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તે આપણી બધી જ પ્રણાલીને પ્રભાવિત કરે છે અને વાયરસ વધુમાં વધુ કોશિકાઓને મલ્ટીપ્લાય લારે છે. ગિલોયમાં સંક્રમણ ખતમ કરવાની તાકાત છે. નોંધનીય છે કે બાબાએ તો દાવો કર્યો કે ગિલોય અને અશ્વગંધા રોગિયોને આપવામાં આવ્યા હતા અને રિકવરી રેટ 100 ટકા છે. જોકે હજુ અમુક પરીક્ષણ ચાલી રહ્યા છે.
બાબા રામદેવ અનુસાર પતંજલિએ અનુસંધાન પૂરો કરી લીધેલ છે અને તેમના વૈજ્ઞાનિક ટૂંક સમય જ દુનિયા સામે તેને પ્રસ્તુત કરશે.