પતંજલિ આયુર્વેદના સંસ્થાપક અને યોગગુરુ બાબા રામદેવે જણાવ્યું છે કે ઘાતક કોરોના વાઈરસના કારણે દેશભરમાં સેનિટાઇઝરની અછત ઊભી થઈ છે અને કેટલાક લોકો વધતી માગ જોઈ તેનાં કાળાં બજાર કરવા લાગ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતની હાલની સ્થિતિ જોતાં કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો ઘણો વધારે છે. ઘી અને તેલની માગ પણ ઓચિંતી વધી ગઈ છે.
કોરોના વાયરસને લઇને બાબા રામદેવ આવ્યા નાગરિકોની મદદે
સસ્તી કિંમતે સેનિટાઇઝર લોન્ચ કરશે
આ દરમિયાન તેમણે જાહેરાત કરી કે પતંજલિ આયુર્વેદ હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન કરશે. આગામી 15 દિવસથી એક મહિનાની અંદર જ પતંજલિ આયુર્વેદનું હેન્ડ સેનિટાઇઝર બજારમાં ઉપલબ્ધ થશે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે અમે વધારે પ્રભાવશાળી સેનિટાઈઝર તૈયાર કર્યાં છે.
હેન્ડ સેનિટાઇઝરની માગ વધી
કોરોના વાઈરસ (કોવિડ-૧૯)ના સતત વધતા જતા ખતરા વચ્ચે સાવધાની રાખવા લોકોમાં હેન્ડ સેનિટાઇઝરની માગ વધી ગઈ છે. ઘણા સેલરનું કહેવું છે કે તેમણે થોડાક જ દિવસોમાં ઘણા મહિનાનો સ્ટોક વેચી નાખ્યો છે, જ્યારે બીજી તરફ એવા પણ સમાચાર મળી રહ્યા છે કે કેટલાક સેલર માગને જોતાં કિંમત કરતાં વધુ ભાવે સેનિટાઇઝર અને માસ્કનું વેચાણ કરી રહ્યા છે.
બાબા રામદેવે લીધો મોટો નિર્ણય
બાબા રામદેવે કહ્યું હતું કે તેમની કંપનીએ પામ ઓઈલ, સોયા ઓઇલની કિંમતમાં 20 ટકા સુધી ઘટાડો કર્યો છે. અમે દેશને બજાર નહીં પણ પરિવાર માનીએ છીએ. આ જ કારણે અમે સાબુની કિંમતમાં 12.5 ટકા સુધી ઘટાડો કર્યો છે. આ ઉપરાંત એલાવેરા, હળદર, ચંદનની કિંમતમાં પણ આટલો જ ઘટાડો કર્યો છે.