ઉત્તરાખંડમાં ગત થોડા દિવસોથી ભારે બરફવર્ષા વચ્ચે કેદારનાથ મંદિરની આસપાસ બરફ જામી ગયો છે. હાલમાં જ બરફવર્ષાના કારણે જ્યાં કેદારનાથ મંદિરનો અડધો ભાગ બરફમાં ડૂબી ગયો છે. ત્યારે ઔલી, મુક્તેશ્વર સહિત તમામ પ્રવાસી સ્થળો પર બરફ વર્ષાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કેદારનાથ મંદિરની આસપાસ બરફના થરના ફોટો સામે આવ્યા હતા
અહીં ચાલી રહેલ નિર્માણ કાર્ય પણ બંધ થઇ ગયું છે
13 ડિસેમ્બરથી તમામ વાહન બરફમાં ફંસાયા છે
ભારે બરફવર્ષા વચ્ચે કેદારનાથ મંદિરની આસપાસ બરફના થર જામી ગયા છે. બરફવર્ષાના કારણે મંદિરનો અડધો ભાગ બરફ વચ્ચે દેખાઇ રહ્યો છે. આ સિવાય અહીં ચાલી રહેલ નિર્માણ કાર્ય પણ બંધ થઇ ગયું છે.
કેદારનાથ મંદિરની આસપાસ બરફના થરના ફોટો સામે આવ્યા હતા. કેદારનાથ મંદિરના કપાટ જોકે શિયાળો હોવાથી બંધ છે અને અહીં શ્રદ્ધાળુઓને જવાની મંજૂરી નથી.
સત્તાવાર માહિતી અનુસાર, કેદારનાથ મંદિરની આસપાસ જોકે 2 ફૂટથી વધારે બરફ જામી ગયો છે. જેના કારણે મંદિરની આસપાસ થઇ રહ્લે પુનનિર્માણનું કામ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
ચમોલી જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ઔલીના રસ્તા પર બરફની મોટી ચાદર છવાઇ ગઇ છે. આ બરફ વર્ષના કારણે 13 ડિસેમ્બરથી તમામ વાહન બરફમાં ફંસાયા છે.
જોશીમઠમાં બરફવર્ષ બાદ અહીં અંદાજિત પાંચ ઇચ સુધી બરફ જામી ગયો છે. તેવામાં જોશીમઠ-ઔલીને જોડનાર રસ્તો બંધ થઇ ગયો છે. બરફવર્ષા બાદ કેટલાક વાહનોને તંત્રએ રસ્તામાં જ રોકી દીધા છે.