કોરોના મહામારીમાં એક વૃદ્ધ દંપતીનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ લોકોએ આર્થિક મદદ કરતાં ડિસેમ્બરમાં તેમણે પોતાનું રેસ્ટોરેન્ટ પણ શરૂ કરી દીધું હતું.
કાન્તા પ્રસાદે ગયા વર્ષે એક નવું રેસ્ટોરેન્ટ શરૂ કર્યું હતું
તેનો મહિનાનો ખર્ચ લગભગ 1 લાખ જેટલો હતો. જ્યારે કમાણી માત્ર 40 હજાર રૂપિયા જ હતી.
પોતાના માટે અને પોતાના દીકરાઓ માટે સ્માર્ટફોન લીધા
કાન્તા પ્રસાદે ગયા વર્ષે એક નવું રેસ્ટોરેન્ટ શરૂ કર્યું હતું
સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ ભારતમાં પ્રખ્યાત થનાર બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. કારણકે રેસ્ટોરેન્ટમાં ભારે નુકશાન થયા બાદ તેઓ ફરી માલવીય નગર સ્થિત ઢાબા પર પાછા આવી ગયા છે. ગયા વર્ષે વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર દેશમાંથી લાખો રૂપિયાની મદદ મળી હતી, પણ લોકો હવે પૂછી રહ્યા છે.
કાંતા પ્રસાદને મળેલા રૂપિયા ગયા કયાં?
રિપોર્ટ અનુસાર, આર્થિક મદદ મળ્યા બાદ કાન્તા પ્રસાદે ગયા વર્ષે એક નવું રેસ્ટોરેન્ટ શરૂ કર્યું હતું. જેમાં તેમણે લગભગ 5 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ ઉપરાંત તેમણે પોતાના ઘરમાં એક બીજો માળ ઊભો કર્યો હતો, તેમનું જેટલું પણ દેવું હતું તે પૂરું કર્યું. પોતાના માટે અને પોતાના દીકરાઓ માટે સ્માર્ટફોન લીધા. આ ઉપરાંત રેસ્ટોરેન્ટમાં થઈ રહેલ નુકશાન પણ ભોગવ્યું. આ રેસ્ટોરેન્ટ ફેબ્રુઆરીમાં બંધ થઈ ગયું. તેનો મહિનાનો ખર્ચ લગભગ 1 લાખ જેટલો હતો. જ્યારે કમાણી માત્ર 40 હજાર રૂપિયા જ હતી.
હવે તેમની પાસે કેટલા રૂપિયા બચ્યા છે?
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે "હવે મારી પાસે 19 લાખ રૂપિયા બચ્યા છે. મને લાગે છે કે મને જે રેસ્ટોરેન્ટ ખોલવા માટેની સલાહ આપવામાં આવી તે સાવ ખોટી સાબિત થઈ અને ઘણું નુકશાન થયું. હવે જે પૈસા બચ્યા છે તે ભવિષ્ય માટે સાચવીને રાખીશ. પછી તેમને પૂછવામાં આવ્યું કે શું ગૌરવ વાસનથી કોઈ ફરિયાદ છે કે શું? ત્યારે તેમણે કહ્યું કે, "ગૌરવે અમારી ઘણી મદદ કરી છે અને અમે કહી શકીએ કે તેણે અમારી સાથે ચાલાકી કરી. તેણે અમારી જોડે કોઈ કાગળ પર સહી કરાઇ લીધી હતી, અમે તો બસ માત્ર એટલું જ જાણવા માંગીએ છીએ કે અમારા ખાતમાં કેટલા પૈસા આવ્યા છે.