હનુમંત દાસનો દાવો છે કે તેમણે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસે દિક્ષા લીધી છે. ત્યાર બાદ તેમણે મંશાપૂર્ણ ધામના નામથી દિવ્ય દરબાર લગાવવાનું શરૂ કર્યું હતું.
હનુમંત દાસ લગાવે છે દિવ્ય દરબાર
મંશાપૂર્ણ ધામમાં ભરાય છે તેમનો દરબાર
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસેથી લીધી છે દિક્ષા
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સતત ચર્ચામાં છે. આ વચ્ચે વધુ એક બાબા સામે આવ્યા છે જે પોતાને ધીરેન્દ્ર શાસ્ત્રીના શિષ્ય ગણાવે છે અને દિવ્ય દરબાર પણ લગાવે છે. આ બાબા છે રાધોગઢમાં રહેતા મંશાપૂર્ણ ધામના હનુમંત દાસ.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસેથી લીધી છે દિક્ષા
હનુમંત દાસનો દાવો છે કે તેમણે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસેથી ગુરૂ દિક્ષા લીધી છે. જ્યાર બાદ તેમણે મંશાપૂર્ણ ધામના નામથી દિવ્ય દરબાર લગાવવાનું શરૂ કરી દીધુ.
દરબારમાં સ્ટેજ પર બેસતા જ હનુમંત દાસ પણ બાગેશ્વર ધામની જેમ જ ગળામાં હનુમાનજીનું લોકેટ પહેરે છે અને તેમા હાથમાં ગદા હોય છે. તે પણ પોતાની પાસે પેન અને ચિઠ્ઠી રાખે છે લોકો તેમની પાસે પોતાની સમસ્યા અને પીડા લઈને આવે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી સ્ટાઈલમાં ભરાય છે દરબાર
હનુમંત દાસનો દિવ્ય દરબાર લગભગ તે અંદાજમાં થાય છે જે રીતે ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાનો દરબાર લગાવે છે. નામ લઈને કોઈને બોલાવવા, પછી તેને મંચ પર બેસાડીને તેના પરિવારનું નામ જણાવવાનું, ચિઠ્ઠી ખોલવી દરેક વસ્તુ ધીરેન્દ્ર શાસ્ત્રી સ્ટાઈલમાં.