બાબા બાગેશ્વરની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે, મધ્યપ્રદેશ પછી હવે બાબા બાગેશ્વર મહારાષ્ટ્રમાં લોકપ્રિય થયા હતા અને હવે બિહારનો નંબર આવ્યો છે.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર
બાબાની એક ઝલક મેળવવા માટે લોકો બેકાબૂ થઇ ગયા
રામની જગ્યાએ ભાજપે પોતાના પોસ્ટરમાં શાસ્ત્રીને લગાવ્યા
બિહારમાં બાગેશ્વર સરકારની હનુમંત કથાનો આજે ચોથો દિવસ છે. જણાવી દઈએ કે પટનાથી 25 કિમી દૂર નૌબતપુરમાં દરરોજ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શન કરવા માટે ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેટલી ભીડ મોટા રાજનેતાઓ તેમની રેલીઓમાં આમંત્રિત કરી શકતા ન હોય તેના કરતાં વધુ લોકો બાબા બાગેશ્વરની ઝલક મેળવવા પહોંચી રહ્યા છે એમ કહી તો તેમ કશું ખોટું નથી.
जहाँ सरकार पहुँच जाए वही दरबार वही भभूति वितरण…निवास के बाहर हज़ारो लोगो की पुकार सुन गुरुदेव ने सभी को आशीर्वाद दिया और भभूत दी… pic.twitter.com/0vbGNsAWBX
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) May 16, 2023
રામની જગ્યાએ ભાજપે પોતાના પોસ્ટરમાં શાસ્ત્રીને લગાવ્યા
જણાવી દઈએ કે ગઇકાલે એટલે કે કથાના ત્રીજા દિવસે બાગેશ્વર સરકારે તેનો દિવ્ય દરબાર યોજીને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કર્યું હતું અને આ સાથે બાબાએ ફરી એકવાર મંચ પરથી જ દિવ્ય દરબારમાં સવાલ ઉઠાવનારાઓને પડકાર ફેંક્યો છે. બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને રાજકારણ પણ ઉગ્ર બની રહ્યું છે. જેમાં પ્રશાંત કિશોરે બાબાની કથામાં ભાજપના નેતાઓના જવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે શ્રી રામની જગ્યાએ હવે ભાજપે પોતાના પોસ્ટરમાં શાસ્ત્રીને લગાવ્યા છે.
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) May 15, 2023
બાબાની એક ઝલક મેળવવા માટે લોકો બેકાબૂ થઇ ગયા
આપણે બધા જાણીએ છીએ કે બાબા બાગેશ્વરની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે અને મધ્યપ્રદેશ પછી હવે બાબા બાગેશ્વર મહારાષ્ટ્રમાં લોકપ્રિય થયા હતા અને હવે બિહારનો નંબર આવ્યો છે. હિન્દુ, હિન્દુત્વ અને રામ રાજ્યની વાત કરતાં બાબા બાબા બાગેશ્વરએ ફેબ્રુઆરીથી મે સુધીના ફક્ત સાડા ત્રણ મહિનામાં એમની ફેન ફોલોઈંગ ઘણી વધારી છે. એવામાં નૌબતપુરમાં કથાના ત્રીજા દિવસે બાબાએ દિવ્ય દરબાર સ્થાપવાની જાહેરાત કરતા જ તેમના ભક્તોનો ઉત્સાહ વધી ગયો હતો બાબાની એક ઝલક મેળવવા માટે લોકો બેકાબૂ થઇ ગયા હતા. બાબાની એક ઝલક મેળવવા માટે કેટલાક લોકો પોલ પર તો કેટલાક LED સ્ટેન્ડ પર ચડી ગયા હતા.
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) May 15, 2023
ચાલાકી કરનારાઓનો પર્દાફાશ કરશે
નૌબતપુર સ્થિત આ દિવ્ય દરબારમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. તેમણે ફરી એક વખત તેમની દિવ્ય અદાલત પર સવાલ ઉઠાવનારાઓને પડકાર ફેંક્યો. બાબાએ મંચ પરથી તે લોકોને ખુલ્લી ચેતવણી પણ આપી હતી કે જો કોઈ કોઈ ચાલાકી કરશે તો તે તેનો પર્દાફાશ કરશે તેમની પાસે જે શક્તિ છે એ પ્રદર્શન કરવા માટે નથી.