ચૂંટણીના માહોલમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ તો થવાના જ છે. તેવામાં કોંગ્રેસ પ્રવક્તાએ ભાજપ પર નિશાન સાધતા બાબા અને 40 ચોરોની ટીમે દેશને લૂંટ્યો હોવાનો આક્ષેપ લગાવ્યા છે. ત્યારે સુરજેવાલાએ કોના પર સીધી રીતે તાક્યું નિશાન તે પણ જોઇએ.
'મૈ ભી ચોકીદાર' ભાજપનું આ કેમ્પેઈન સોશિયલ મીડિયામાં ભારે ધૂમ મચાવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પણ તેના પર નિશાન સાધવામાં કોઈ કસર નથી છોડી રહ્યું. કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ તો ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, બાબા અને તેના 40 ચોરોની ટીમે દેશને લૂંટ્યો છે. જેઓ આજકાલ પોતાના નામ આગળ મૈં ભી ચોકીદાર લગાવીને ફરી રહ્યા છે.
सच्चाई ये है कि मोदी बाबा और 40 चोर अपने नाम के आगे चौकीदार लगाकर, बहरुपिया बनकर एक बार फिर देश की जनता को ठगना चाहते हैं : @rssurjewala
આ સાથે જ કોંગ્રેસ તરફથી એક ટ્વીટ પણ એવું સામે આવ્યું જેમાં મોદી સરકારના વારંવાર બદલાતા સૂત્રોનો ઉલ્લેખ કરી નિશાન સાધવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે, પોતાની નિશ્ચિત હારથી ગભરાયેલી મોદી સરકાર પોતાના સૂત્રો એટલી વખત બદલી ચૂકી છે કે, એટલી વાર તો પોતાના 10 લાખના સૂટને પણ નહીં બદલ્યું હોય. મહત્વનું છે કે, માત્ર ભાજપ જ નહીં પરંતુ દરેક પાર્ટી ચૂંટણી સમયે પોતાના કેમ્પેઈન અને સૂત્રો તો બદલવાની જ છે, પરંતુ તેની અસર કેટલી થશે તે તો આવનાર સમયમાં જ જાણી શકાશે.