બાબ રામદેવએ બોલીવુડને લઈ આપ્યું મોટું નિવેદન, કહ્યું બોલીવુડ ડ્રગ્સની જપેટમાં આવ્યો છે
બાબા રામદેવ બોલિવૂડ પર ભડકયા
"બોલીવુડ ડ્રગ્સની જપેટમાં આવ્યો છે"
"શાહરૂખનો પુત્ર જેલ ગયો, સલમાન ડ્રગ્સ લે છે"
યોગ ગુરૂ બાબા રામદેવ ડ્રગ્સ બાબતે મોટું નિવેદન આપ્યું છે. યોગ ગુરૂ બાબ રામદેવે કહ્યું હતું કે, બોલીવુડ ડ્રગ્સની જપેટમાં આવ્યો છે. તેમણે કહ્યુ હતું કે, શાહરૂખનો પુત્ર ડ્રગ્સ લેતા જડપાયો હતો અને સલમાન પણ ડ્રગ્સ લે છે અને આમિરની ખબર નથી. તેમણે કહ્યું હતું કે, એક્ટ્રેસનો તો ભગવાન જ માલિક છે. તેમણે બોલિવુડ પર ડ્રગ્સના જુદા જુદા આરોપો પણ લગાવ્યા હતા.
"ઝીણા પણ દારૂ પીતા હતા"
બાબા રામદેવએ કહ્યું હતું કે, ઝીણા પણ દારૂ પીતા હતા અને ઇસ્લામમાં જો કોઈ દારૂ પીતો તો તે નાપાક કહેવાતો હતો. પરંતુ ઝીણા દારૂ પીતો હતો અને ડેથ થઈ, સારૂ થયું. તેમણે કહ્યું હતું કે ઈસ્લામમાં દારૂની સખત મનાઈ છે તો ત્યાં લોકોને સિગરેટનો નશો થઈ ગયો. તેમણે જણાવ્યું હતું કે, આજે પૂરો દેશમાં કોઈ પવિત્ર સમાજ હોય તો તે છે આર્ય સમાજ અને આ સમાજ કંઈ પણ નશો નથી.
બાબાનું નશા મુક્ત થવોનો આહાવન
બાબા રામદેવે આર્ય સમાજના કાર્યક્રમમાં સ્ટેજ પરથી દેશને નશા મુક્ત થવાનો આહાવાન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે ઈસ્લામમાં દારૂ પીવા વાળા નાપાક કહેવાય તો આપ તો ઋષિયોના વંશજ છો, તમે દારૂ, ડ્રગ્સ, સિગારેટ જેવું નશો કેમ નહી છોડતા. તેમણે ઉમેર્યું હતું કે, આર્યવીર દળના યુવાઓ જ્યા પણ જાય નશા મુક્તિનો અભિયાન ચલાવે.
"બોલીવુડ નશાની જપેટમાં"
બાબા રામદેવે નશા પર નિવેદન આપતા કહ્યું હતું કે, મોટા મોટા ફિલ્મી સ્ટાર ડ્રગ્સ લે છે. તેમણે કહ્યું કે, બોલીવુડના નશાની જપેટમાં છે. તેમણે કહ્યું હતું કે, થોડા દિવસ પહેલા જોયુ છે કે, શાહરૂખનો પુત્ર જેલ ગયો અને સલમાન પણ ડ્રગ્સ લે છે.
બાબા રામદેવનું રાજકીય નિવેદન
બાબ રામદેવે મુરાદાબાદમાં બુદ્ધિ વિહાર ફેઝ ટુમાં આર્યવીર સંમેલનમાં કહ્યું હતું ચૂંટણી સમય રાજકીય પાર્ટીઓ સમાજ,જાતિ, પંથ વિભાજન કરે છે. તે ઓબીસી,મુસલમાન, આદિવાસી જેવા વિવિધ ભેદભાવો ઉભા કરે છે અને તેમનો હેતું ચૂંટણી જીતવાનો હોય છે. તેમણે કહ્યું કે, આર્ય સમાજ છે જે ભેદ ભાવ નહી રાખતો અને અહી બધી જાતિ એક સમાન રખાય છે.
સાધુઓને ચલમ છોડાવી બાબા રામદેવે!!
બાબ રામદેવએ ગુજરાત અને બિહારનો ઉદાહરણ આપી જણાવ્યું હતું કે દારૂ બંધીથી નશા મુક્તી સંભવ નથી. તેમણે કહ્યું કે, બિહાર અને ગુજરાતમાં દારૂ બંધ હોવા છતા લોકો પીવે છે. તેમણે જણાવ્યું હતું કે, નશામુક્તિ માટે અનુશાસનથી થાય છે. તેમણે કહ્યું કે, મે કુંભમાં સાધુઓને ચલમ છોડાવી છે. તેમણે ઉમેર્યું કે, મેં સાધુઓને કહ્યું કે, તમે સાંસરિક મોહ માયા છોડી દીધી તો ચલમ નહીં છોડી શકતા.