ભારતમાં કોરોના વાયરસના BA.4 ઓમિક્રોન સબ વેરિએન્ટનો બીજો કેસ તમિલનાડૂમાંથી સામે આવ્યો છે.
કોરોના વાયરસના સબ વિરેન્ટનો બીજો કેસ
ભારતના આ રાજ્યમાં મળી આવ્યો કેસ
દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરાયું
ભારતમાં કોરોના વાયરસના BA.4 ઓમિક્રોન સબ વેરિએન્ટનો બીજો કેસ તમિલનાડૂમાંથી સામે આવ્યો છે. અહીંના સ્વાસ્થ્યમંત્રી મા સુબ્રમણ્યમે શનિવારે એક નિવેદન જાહેર કરીને રાજ્યમાં BA.4 ઓમિક્રોન સબ વેરિએન્ટના પ્રથમ કેસની પુષ્ટિ કરી છે. જે શખ્સ આ વેરિએન્ટથી સંક્રમિત થયો છે. તે ચેંગલપટ્ટૂ જિલ્લાના નવાલુરનો રહેવાસી છે. તે રાજધાની ચેન્નઈથી 30 કિમી દૂર આવેલુ છે. આ અગાઉ આ સબ વેરિએન્ટનો પ્રથમ કેસ શુક્રવારે તેલંગણાના હૈદરાબાદમાંથી સામે આવ્યો હતો.
દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ વેરિએન્ટના સંપર્કમાં આવ્યા બાદ દર્દીને મળલા સંપર્કમાં આવેલા લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ કામ શરૂ કરી દીધું છે. આ દર્દી દક્ષિણ આફ્રિકાથી આવ્યો હતો. અહીંથી તે હૈદરાબાદ પહોંચ્યો હતો. તેનામાં બિમારીના લક્ષણ નથી અને તેના સેમ્પલ 9મેના રોજ લેવામા આવ્યા હતા. ભારતીય સાર્સ કોવ 2 જીનોમિક્સ કંસોર્ટિયમ મામલાને લઈને સોમવારે બુલેટિન જાહેર કરશે. BA.4 વેરિએન્ટની સૌથી પહેલા 10 જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકામાં ખબર પડી હતી. ત્યારથી તેના કેસ દક્ષિણ આફ્રિકામાં મળી રહ્યા છે.
નવા લક્ષણ અથવા ગંભીર બિમારીના સંકેત નથી
એવા કોઈ સંકેત નથી મળ્યા કે, BA.4 અથવા BA.5થી સંક્રમિત થનારા લોકોમાં કોઈ નવા લક્ષણ અથવા ગંભીર બિમારી દેખાઈ રહી છે કે નહીં. જો કે, વૈજ્ઞાનિકોને સંશોધનથી જાણવા મળ્યું છે કે, આ વેરિએન્ટ પ્રતિરક્ષા સિસ્ટમથી બચવામાં સક્ષમ છે. જો વેરિએન્ટની વાત કરીએ તો, તે શું હોય છે, તેનો જવાબ એ છે કે, આ વાયરસ ખાસ કરીને આરએનએ વાયરસ જેવા સાર્સ કોવ 2, પ્રજનન કરતી વખતે ઘણી બધી ભૂલો કરે છે. આ ભૂલોને તે સુધારી શકતા નથી. એટલા માટે ખામી, અથવા ઉત્પરિવર્તનનો અપેક્ષાકૃત દર ઉચ્ચ છે. તે સતત વિકસિત થતો જાય છે.