અમદાવાદ: જમાલપુર વિસ્તારમાં એક યુવકની હત્યા થયાની ઘટના સામે આવી છે. જમાલપુર દરવાજા નજીક પીરણપીરની દરગાહ નજીક અઝહર નામનો યુવક ઉભો હતો. તે દરમિયાન અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા. અને અઝહરને ચપ્પાના ઘા ઝીંકી દિધા હતા.
જેથી લોહી લુહાણ હાલતમાં તેના ઘરે પહોંચ્યો હતો. ત્યાર બાદ પરિવારજનો તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
સમગ્ર ઘટનાની જાણ થતાં હવેલી પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી છે. પૈસાની લેતી દેતીમાં આ હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.