આર્મેનિયા અને અજરબૈજાન એક વાર ફરી જંગના ઉંબરે આવી ને ઉભા છે.
આર્મેનિયા અને અજરબૈજાન વચ્ચે 44 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું
આર્મેનિયા રશિયા પાસે મદદ માંગી રહ્યું છે
અજરબૈજાને આને જવાબી કાર્યવાહી ગણાવી
આર્મેનિયા અને અજરબૈજાન બન્ને દેશોની વચ્ચે ભીષણ સૈન્ય ઝડપના સમાચાર આવ્યા બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આર્મેનિયાએ દાવો કર્યો છે કે તેમના 15 સૈનિકોના મોત થયા છે. જ્યારે 12 સૈનિકોએ અજરબૈજાનને પકડી લીધા છે. આર્મેનિયાએ પોતાના સૈનિકોને છોડવવા માટે રશિયાની મદદ માંગી છે. ત્યારે એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે અજરબૈજાનની સેનાએ આર્મેનિયાના બે વિસ્તાર પર કબ્જો જમાવી દીધો છે.
આર્મેનિયા અને અજરબૈજાન વચ્ચે 44 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું
ગત વર્ષ નાગોર્નો- કરાબાખને લઈને બન્ને દેશોની વચ્ચે 44 દિવસ સુધી યુધ્ધ ચાલ્યું હતુ. આ યુદ્ધમાં ઓછામાં ઓછા 6500 લોકો માર્યા ગયા હતા અને 10000થી વધારે ઘાયલ થયા હતા. રશિયાની દખલગીરી બાદ યુદ્ધ અજરબૈજાન માટે એક નિર્ણાયક જીતની સાથે સમાપ્ત થયુ હતુ. આ યુદ્ધમાં ઈઝરાયલ અને તુર્કે અજરબૈજાનની મદદ કરી હતી. જો કે તાજા સૈન્ય અથડામણની બાદ દેશેમાં ફરી સિઝફાયરની વાત કહેવામાં આવી હતી. પરંતુ બધુ જ સામાન્ય રહેશે તેની શક્યતા બહું ઓછી છે.
આર્મેનિયા રશિયા પાસે મદદ માંગી રહ્યું છે
રશિયન સમાચાર એજન્સીએ આર્મેનિયાના રક્ષા મંત્રાલયના હવાલાથી જણાવ્યું કે તેમના દેશના સૈનિકો પર અજરબૈજાનની સેનાએ તોપ, નાના હથિયાર અને આર્મ વ્હીકલથી હુમલો કર્યો છે. જેમાં 15 સૈનિકો માર્યા ગયા અને 12 પકડાઈ ગયા છે. ત્યારે ઈન્ટરફેક્સ સમાચાર એજન્સીએ આર્મિનિયાની સુરક્ષા પરિષદના સચિવ આર્મેન ગ્રિગોરિયનના હવાલાથી કહ્યું કે જો કે અજરબૈજાનએ આર્મેનિયાની સંપ્રભૂ વિસ્તાર પર હુમલો કર્યો છે એટલા માટે અમે રશિયા પાસે અમારા દેશોની વચ્ચે હાજર 1987 સમજૂતિના આધાર આર્મેનિયાના ક્ષેત્રીય અખંડતાની રક્ષા કરવા માટે કહી રહ્યા છે.
અજરબૈજાને (Azerbaijan) જવાબી કાર્યવાહી ગણાવી
રશિયાનું આર્મેનિયામાં એક સૈન્ય મથક છે અને સાથે નાગોર્નો કરાબાખમાં એક શાંતિ સેના પણ છે. બીજી તરફ અજરબૈજાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે આર્મેનિયા તરફથી સતત ઉશ્કેરનારી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આનો જવાબ આપવા માટે સૈન્ય અભિયાન શરુ કરવામાં આવ્યું હતુ. પોતાના નિવેદનમાં અજરબૈજાનએ આર્મેનિયાના સૈન્ય અને રાજનીતિક નેતૃત્વને જવાબદાર ઠરાવ્યા છે. અજરબૈજાને કહ્યું કે આર્મેનિયાની સેનાએ તોપખાના અન મોર્ટાર ફાયરની સાથે અર્જેરી સેનાની ચોકીયો પર ગોળી બારી કરી જેના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.