રશિયાની જેમ અડધા એશિયા અને અડધા યુરોપમાં આવતા દેશો આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારે જાનહાનિ થઈ છે. આ યુદ્ધમાં તેમના 3 હજાર લોકોનાં મોતની વાત સામે આવી રહી છે.
મીડિયા અહેવાલ અનુસાર શનિવારે ઘોષિત રિપબ્લિક ઓફ આર્તસખના રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરીએ દાવો કર્યો હતો કે ઈન્ટેલીજન્સના આંકડા મુજબ અમારા 3000 સર્વિસમેન માર્યા ગયા છે. કેટલાંક મૃતદેહો એવી જગ્યાએ છે જ્યાંથી તેમને ટ્રાન્સ્પોર્ટેશન કરીને પણ લાવી શકાય તેમ નથી.
On Intl Day of #NonViolence, despite intl calls for ceasefire, #Azerbaijan, supported by #Turkey & reinforced by foreign terrorist fighters, continues deplorable attacks on #Artsakh & #Armenia, shelling civilian settlements. We'll compel them to come back to negotiating table. pic.twitter.com/RB6bP37Icm
હકીકત, આ આખું યુદ્ધ નાગોર્નો કારાબાખ વિસ્તારના 4400 ચોરસ કિલોમીટરના કબજાને લઈને થઈ રહ્યું છે. નાગોર્નો કારાબાખને આંતરરાષ્ટ્રીય સ્તરે અઝરબૈજાનનો ભાગ માનવામાં આવે છે પરંતુ તેનો આર્મેનિયાના વંશીય જૂથો દ્વારા કબજો છે. આ તણાવ 2018 માં શરૂ થયો હતો, જ્યારે બંને દેશોની સૈન્યએ સરહદને અડીને આવેલા વિસ્તારમાં તેમની સેના વધારી દીધી હતી. હવે આ તણાવ યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. યુરોપના ઘણા દેશોએ બંને દેશોને શાંતિ માટે અપીલ કરી છે.
આ આખો વિસ્તાર પર્વતીય છે
હાલના સમયમાં આ વિસ્તારો અઝરબૈજાનમાં આવે છે, પરંતુ અહીં આર્મેનિયાથી વધુ લોકો છે. આવી સ્થિતિમાં આર્મેનિયન સેનાએ તેને કબજે કરી લીધી છે. આશરે ચાર હજાર ચોરસ કિલોમીટરનો આ આખો વિસ્તાર પર્વતીય છે, જ્યાં તણાવની પરિસ્થિતિ યથાવત છે. 1991માં, નાગોર્નોના લોકોએ આ ભાગને અઝરબૈજાનથી સ્વતંત્ર જાહેર કર્યો અને તેને આર્મેનિયાનો એક ભાગ બનાવ્યો, ત્યારથી બંને દેશો વચ્ચેનો આ વિવાદ બન્યો બન્યું છે અને તકરાર થઈ રહી છે.
1922માં સોવિયત સંઘનો ભાગ બન્યા હતા
પ્રથમ વિશ્વ યુદ્ધ પછી 1918 અને 1921ના વર્ષોમાં આર્મેનિયા અને અઝરબૈજાનને મુક્ત કરવામાં આવ્યા હતા. આ બંને દેશો 1922માં સોવિયત સંઘનો ભાગ બન્યા હતા. રશિયાના નેતા જોસેફ સ્ટાલિને આર્મેનીયાને અઝરબૈજાનનો એક ભાગ આપ્યો હતો જે અગાઉ અઝરબૈજાન દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી આ વિવાદ બંને દેશો વચ્ચે રહ્યો છે.