રામની નગરી અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ દેશના પ્રધાનમંત્રી મોદી ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ કરવાના છે ત્યારે આજરોજ મુસ્લિમ મંચના અધ્યક્ષ આઝમ ખાને અયોધ્યા લઇને એક પ્રતિજ્ઞા લીધી છે.
આઝમ ખાનનું મોટું નિવેદન
ભૂમિપૂજન કાર્યક્રમમાં આમંત્રણ નહીં આપવામાં આવે તો તે જ દિવસે હું સરયૂ નદીમાં જળ સમાધિ લઇશ
તેમનું કહેવું છે કે, જો 5 ઓગસ્ટના રોજ અયોધ્યા રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં આમંત્રણ નહીં આપવામાં આવે તો તે જ દિવસે હું સરયૂ નદીમાં જળ સમાધિ લઇશ. તેમનું માનવું છે કે, રામ મંદિર નિર્માણ માટે આંદોલન કર્યું છે તે રામના ભક્ત છે.
આઝમ ખાને કહ્યું, તે સરયું જળ સમાધિ લેશે
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભગવાન રામને કોઈ ધર્મ કે જાતિ સાથે બાંધી શકાતા નથી. તેથી, તે પણ આ પુણ્ય કાર્યમાં જોડાઇને રામ મંદિર ભૂમિ પૂજનના સાક્ષી બનવા માંગે છે. અયોધ્યા પહોંચેલા રાષ્ટ્રવાદી આઝમ ખાને કહ્યું કે ભગવાન રામ તેમના આરાધ્ય માનવામાં આવે છે. જે રીતે ભગવાન રામ અને લક્ષ્મણે આ સરયુમાં જળ સમાધિ લીધી હતી. તે જ રીતે, તેઓ પણ જળ સમાધિ પણ લેશે. આઝમ ખાને રામલાલાની મુલાકાત લીધી હતી અને રામ મંદિર આંદોલનના નેતા એવા દિવંગત મહંત રામચંદ્રદાસ પરમહંસની સમાધિ પર પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
5 ઓગસ્ટે રામ જન્મભૂમિના ભૂમિ પૂજન
ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યામાં મંદિરના નિર્માણની શ્રદ્ધાળુઓ વર્ષોથી રાહ જોઈ રહ્ય હતા. 5 ઓગસ્ટે રામ જન્મભૂમિના ભૂમિ પૂજનની સાથે જ મંદિર નિર્માણ કાર્યનો પણ આરંભ થશે. પીએમ મોદી ભૂમિ પૂજનમાં સામેલ થશે અને શિલાન્યાસ કરશે. ભૂમિ પૂજન માટે 12.15 મિનિટનો સમય નક્કી કરાયો છે.
વૈભવકારી છે અભિજિત મૂહૂર્ત
જ્યોતિષીઓનું માનવું છે કે આ મૂહૂર્તમાં ભૂમિ પૂજન વૈભવકારી સાબિત થશે. જો આ સમયે કાર્ય શરૂ થશે તો તેમાં સફળતા મળશે. 15 મૂહૂર્તમામંથી આઠમા નંબરે આ મૂહૂર્ત છે જે ખૂબ જ ફળદાયી રહેશે. જ્યોતિષમાં 28મો નક્ષત્ર અભિજિત હોય છે જે દરેક કાર્યો માટે શુભ હોય છે. જો કોઈ શુભ મૂહૂર્ત ન હોય તો આ નક્ષત્ર બેસ્ટ ગણાય છે. માટે આ દિવસ અને નક્ષત્ર પસંદ કરાયું.
જોવાલાયક હશે મંદિરની ભવ્યતા
ગ્રહ નક્ષત્રના આધારે કહી શકાય કે મંદિરના નિર્માણમાં થોડા સમયની રાહ જોવી પડે તેમ છે. જ્યારે મંદિર બનશે ત્યારે તેની ભવ્યતા જોવા લાયક હશે. રામ મંદિર નિર્માણને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો ત્યારે પણ કોઈ શુભ મૂહૂર્ત બન્યા હતા. જેમાં કાર્તિક મહિનાના સંયોગમાં હર્ષણ યોગ હતો અને સાથે જ શુક્લ પક્ષની બારશ જેના સ્વામી ભગવાન વિષ્ણુ છે.